________________
શ્રી રાયપસેણઈય સુત
४७
માનક, પાંચમું ભદ્રાસન, છઠ્ઠો કળશ, સાતમું મસ્યયુગલ અને આઠમું દર્પણ–એવી ગોઠવણી હતી. ત્યારપછી પૂર્ણ કલશ, ભંગાર, દિવ્ય છત્ર અને ચામરો ચાલતાં હતાં. આ સાથે ગગનતલને સ્પર્શ કરતી, અતિશય સુંદર અને વાયુથી ફરફરતી એક મોટી ઉંચી વિજયજયંતી નામની પતાકા ચાલતી હતી. ત્યારપછી વૈડુર્યના ચકચકતા દાંડાવાળું, માળાઓથી સુશોભિત, ચંદ્ર જેવું ઉજજવળ-ધોળું ઉંચું છત્ર ચાલતું હતું. પછી જેના ઉપર પાવડીઓની સુંદર જોવ અને પાદપીઠ મૂકેલાં છે એવું, મણિ અને રત્નની કારીગરીથી આશ્ચર્ય પમાડનારું ઉત્તમ સિંહાસન અનેક દાસ દેના ખભા ઉપર ચાલતું હતું. ત્યારબાદ વજામાંથી બનાવેલે, ચકચકતો, ઘસીને સુંવાળે કરેલે, ગાળ આકારવાળે, પચરંગી નાની નાની હજારો ધજાઓથી શોભતો, છત્રાકારે ગઠવાએલી વિજયવૈજયંતી પતાકાથી યુક્ત, અતિશય ઉ– હજાર જન ઉચ માટેજ આકાશને અડકતો મોટામાં મેટે ઇંદ્રવ્રજ ચાલતો હતો. એની પછવાડે સુંદર વેષભૂષાવાળા, સજધજ થએલા, સર્વ પ્રકારના અલંકારોથી વિશેષ દેખાવડા લાગતા પાંચ સેનાધિપતિઓ તેમના મોટા સુભટસમુદાય સાથે બેઠેલા હતા. એમની પાછળ પોતપોતાનાં ટેળાં સાથે, પોતપોતાના નેજા સાથે, પોતપોતાની વિશિષ્ટ વેષભૂષા સાથે એ આભિગિક દેવ અને તેમની દેવીએ ગોઠવાએલી હતી. ત્યારબાદ–છેક છેલ્લે–તે સૂર્યાભવિમાનમાં રહેનારાં બીજા દેવ અને દેવીઓ પોતપોતાની સર્વ પ્રકારની અદ્ધિ સિદ્ધિ, ઘુતિ, બળ, વેષભૂષા અને પરિવાર સાથે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org