________________
શ્રી રાયપણઈય સુત્ત
૪૫
પૂર્વના ભાગમાં ચાર હજાર ભદ્રાસને ગોઠવાઈ ગયાં. સૂર્યાભદેવની ૮૨ અંતરંગ સભાના આઠ હજાર સભ્યોને બેસવા માટે અગ્નિ ખૂણામાં આઠ હજાર ભદ્રાસને નંખાઈ ગયાં. એજ પ્રમાણે વચલી સભાના દસ હજાર સભ્યોને બેસવા સારૂ દસ હજાર ભદ્રાસને દક્ષિણના ભાગમાં, બાહ્ય સભાના બાર હજાર સભ્યને માટે બાર હજાર ભદ્રાસનો નૈઋત્ય ખૂણામાં અને સાત સેનાપતિઓને સારૂ સાત ભદ્રાસન પશ્ચિમના ભાગમાં હારબંધ નાખવામાં આવ્યાં.
૬૬ આ ઉપરાંત સૂર્યાભદેવની ચેકી કરનારા અંગરક્ષક દેવો માટે એ સિંહાસનની ચારે બાજુ અર્થાત્ પૂર્વમાં ચાર હજાર, દક્ષિણમાં ચાર હજાર, પશ્ચિમમાં ચાર હજાર અને ઉત્તરમાં ચાર હજાર એમ કુલ બીજા સોળ હજાર ભદ્રાસનો ગોઠવવામાં આવ્યાં.
૭ હવે આ રીતે તે યાન વિમાન પૂર્ણપણે તૈયાર થઈ ગયું. જેમ તાજે ઉગેલ હેમંત ઋતુનો બાળસૂર્ય, અંધારી રાતે સળગાવેલી ખેરના અંગારા, જપાકુસુમનું વન, કેસુડાનું વન વા પારિજાતકનું વન રાતું ચાળ જેવું લાગે તેમ તે દિવ્ય ચાન વિમાન રાતું ચેળ ચકચકતું હતું.
પ્રવ–શું તે યાન વિમાન, એને બાળસૂર્ય વગેરેની આપેલી ઉપમાઓ જેવું જ ખરેખર લાલચોળ હતું ?
ઉ૦–એ અર્થ સમથ નથી અર્થાત્ હે આયુશ્મન શ્રમણ ! એ તે માત્ર ઉપમાઓ છે; પણ તે યાન વિમાન તો એ બધી ઉપમાઓ કરતાં ક્યાંય વધારે ઈષ્ટતર, સરસ, મનહર અને મનેસ લાલ વર્ણવાળું હતું. તેને ગંધ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org