________________
શ્રી રાયપાસેણઈય સુત્ત
૪૩
સુગંધી, સરસ સ્પર્શવાળા અને રંગબેરંગી મણિઓ પણ તેવાજ જડેલા હતા, જેમાં પદ્મલતાઓ ભરેલી છે એ એક માટે સારામાં સારો ચંદરવો તે મંડપમાં બાંધેલ હતો.
૬૩ તે મંડપના એ લીસા ભૂભાગની વચ્ચે વચ્ચે તે દેએ એક મટે વજામય અખાડે બનાવ્યો, એ અખાડાની વચ્ચે વચ્ચે, આઠ રોજન લાંબી પહોળી અને ચાર જન જાડી એવી એક ટી સ્વચ્છ, સુંવાળી, મણિમય મણિપીઠિકા બનાવી. તે મણિપીઠિકા ઉપર એક મોટું સિંહાસન સ્થાપિત કર્યું. સિંહાસન ઉપરના ચાકળા સુવર્ણમય તાર ઝીક અને સતારાથી ઝગઝગતા હતા; સિંહે રત્નના, પાયા સેનાના, પાયાના કાંગરા અનેક પ્રકારના મણિઓના, ગાત્રે જાંબૂનદનાં, સાંધાઓ વાના અને સિંહાસનનું વાણુ અનેક મણિઓથી ભરેલું હતું. વળી, તે સિંહાસનમાં ઘોડે, હાથી, મગર વગેરે પૂર્વોક્ત અનેક ચિત્રો કરેલાં હતાં. સિંહાસન આગળનું પાદપીઠ મણિમય અને રત્નમય હતું, તે પાદપીઠ ઉપરનું પગ રાખવાનું મસૂરિયું સુંવાળા અસ્તરથી ઢાંકેલું હતું અને તે મસૂરિયાની લટકતી ઝાલર કમળ કેસરતંતુ જેવી જણાતી હતી. સિંહાસન ઉપર જ ન પડે માટે તેને સારા શીલા રજસ્ત્રાણથી ઢાંકેલું હતું, ચેખા કપાસમાંથી બનેલું ચોકખું સૂતરાઉ કપડું તે રજસ્ત્રાણ ઉપર ગોઠવેલું હતું અને તે આખા સિંહાસન ઉપર એક રાતું વસ્ત્ર ઢાંકેલું હતું. એ રીતે એ સિંહાસનને રમ્ય, સુંવાળું અને સર્વ પ્રકારે પ્રાસાદિક બનાવવામાં આવ્યું હતું.
૬૪ એ સુંદર સિહાસનના ઉપરના ભાગમાં શંખ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org