________________
શ્રી રાયપાસેણઈય સુત્ત
મંડપના જુદા જુદા ભાગોમાં બીજા પણ અનેક પ્રકારના મણિઓ જ તેને વિશેષ ચળકતો બનાવ્યું, તેમાં પૂર્વોક્ત બળદ, ઘોડે, હાથી, મગર, નર, વનવેલ વગેરેનાં ચિત્ર કર્યા વા ચીતર્યા, સુવર્ણમય અને રત્નમય અનેક સ્તૂપે ઊભા કર્યા, અનેક પ્રકારની પંચરંગી ઘંટડીઓ તથા પતાકાઓથી તેના શિખરને શણગાર્યું, એ મંડપ એટલે બધો ચકચકતો હતો કે જેનારને તે જાણે હલતો હોય તે ચપલ જણાતે, એમાંથી કિરણની ધારા છૂટતી હોય એમ લાગતું, તેના-મંડપના–બધા ભાગે લીંપીગૂંપીને ચકચકતા અને સુંવાળા કરેલા હતા, મંડપમાં બહાર અને અંદર રક્તચંદન વગેરે અનેક સુગંધી દ્રવ્યોના થાપા મારેલા હતા, જ્યાં ત્યાં ચંદનના કલશે ગોઠવેલા હતા, બારણાના ટોડલાએ ચંદનના કલશેથી શેભાયમાન એવાં તોરણેથી સુશોભિત કરેલા હતા, જ્યાં ત્યાં લાંબી લાંબી સુગંધી માળાઓ લટકાવેલી હતી, પંચરંગી પુષ્પના તો ઢગ ઢગ ભરેલા હતા, અગર વગેરેના પૂર્વોક્ત સુગંધી ધૂપથી એ મંડપ મઘમઘી રહ્યો હતો, જાણે કે સુગંધને કઈ ખાસ ઓરડો ન હોય? મંડપમાં ચારે તરફ વાજાં વાગી રહ્યાં હતાં અને અસરાઓનાં ટોળે ટોળાં આમથી તેમ ફરતાં જણાતાં હતાં.
દર એ આભિયોગિક દેવોએ એ પ્રેક્ષાગૃહમંડપને હમણાં કહ્યો એવો સુંદર, પ્રસન્નતાવર્ધક, દર્શનીય–દેખાવડો અને અનુપમ બનાવ્યો હતો. તે મંડપની અંદરની ભે યાન વિમાનની મેં જેવી તદ્દન લીસી–સરખી બનાવી હતી અને તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org