________________
--
શ્રી રાયપાસેણધય સુત્ત
પ્રવ–શું તે ધેળા મણિઓ એ આપેલી ઉપમાઓ જેવા જ ખરેખર ઉજળા હતા?
ઉ –એ અર્થ સમર્થ નથી અર્થાત્ હે શ્રમણગૃષ્ણન્ એ તે માત્ર ઉપમાઓ છે; પણ તે ધેળા મણિઓ તે તે બધી ઉપમાઓ કરતાં કયાંય વધારે ઈછતર, સરસ, મનહર અને મને જ્ઞ ધળા વર્ણવાળા હતા.
પ૯ એ દિવ્ય યાન વિમાનની અંદરના ભૂભાગમાં અનેક રંગવાળા ચકચકિત જે મણિએ જડેલા હતા તે માત્ર દેખાવમાં સુંદર હતા એટલું જ નહિ પણ સુગંધી૯ પણ હતા. એ મણિઓમાંથી એવી સરસ સુગંધ ફેલાતી કે જાણે એ ભૂભાગમાં કષ્ટોનાં, તગરનાં, એલાનાં, સુગંધી સૂઆનાં, ચંપાનાં, દમણાનાં, કુંકુમનાં, ચંદનનાં, સુગંધી વાનાનાં, મરવાનાં, જાઈનાં, જૂઈનાં, મલિકાનાં, સ્નાનમહિલકાનાં, કેતકીનાં, પાટલનાં, નવમાલિકાનાં, અગરનાં, લવગનાં, કપૂરનાં, વાસકપૂરનાં પટે-પડિઆઓ–અનુકૂળ હવામાં ચારે બાજુ ગંધ ફેલાય એ રીતે ખુલ્લાં પડેલાં ન હોય, અથવા ત્યાં એ સુગંધી દ્રવ્યમાંનાં ખાંડવા જેવાં દ્રવ્ય ખંડાતાં ન હોય, વેરાતાં ન હોય, એક વાસણમાંથી કાઢી બીજા વાસણમાં ભરાતાં ન હોય, એ જાતની ઉદાર, મનોજ્ઞ, મનહર અને ઘાણને તથા મનને શાંતિ આપનારી સુગંધ એ ભૂભાગમાંથી ચારે બાજુ વરસ્યા કરે છે-ઝર્યા કરે છે.
પ્ર–શું તે સુગંધી મણિઓ, એ આપેલી ઉપમાઓ જેવા જ ખરેખર સુગંધી હતા ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org