________________
-
શ્રી રાયપસેણઈય સુત
૫૬ એ મણિઓમાં જે રાતા મણિ હતા તે ઘેટાના લોહી જેવા, સસલાના લોહી જેવા, માણસના લોહી જેવા, વરાહના લેહી જેવા, પાડાના લેહી જેવા, નાના ઇંદ્રગેપ જેવા, ઉગતા સૂર્ય જેવા, સંધ્યાના લાલ રંગ જેવા, ચણેઠીના અડધા–લાલ ભાગ જેવા, જાસુદના ફૂલ જેવા, કેસુડાના ફૂલ જેવા, પારિજાતકના ફૂલ જેવા, ઉંચા હિંગળોક જેવા, પરવાળા જેવા, પરવાળાના અંકુર જેવા, લેહિતાક્ષમણિ જેવા, લાખના રસ જેવા, કૃમિના રંગથી રંગેલા કામળા જેવા, ચણાના લોટના ઢગલા જેવા, રાતા કમળ જેવા, રાતા અશોક જેવા, રાતી કણેર જેવા અને રાતા બપોરીયા જેવા રાતા હતા.
પ્રવ–શું તે રાતા મણિઓ, એ આપેલી ઉપમાઓ જેવા જ ખરેખર શતા હતા?
ઉ–એ અર્થ સમર્થ નથી અર્થાત્ હે આયુશ્મન શ્રમણ ! એ તો માત્ર ઉપમાઓ છે; પણ તે રાતા મણિઓ તે તે બધી ઉપમાઓ કરતાં કયાંય વધારે ઈષ્ટતર, સરસ, મનહર અને મનોજ્ઞ રાતા વર્ણવાળા હતા.
૩૭ એ મણિઓમાં જે પીળા મણિ હતા તે સોનાચંપા જેવા, સોનાચંપાની છાલ જેવા, સોનાચંપાના અંદરના ભાગ જેવા, હળદર જેવા, હળદરની અંદરના ભાગ જેવા, હળદરની ગોળી જેવા, હરતાળ જેવા, હરતાળની અંદરના ભાગ જેવા, હરતાળની ગોળી જેવા, ચિકુર જેવા, ચિકુરના રંગ જેવા, ઉત્તમ સેના જેવા, ઉત્તમ સેનાની રેખા જેવા, વાસુદેવે પહેરેલા પીળા કપડા જેવા, અશ્વકીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org