________________
શ્રી રાયપાસેણઈય સુત
૩૩
હાજર થએલાં તે દેવો અને દેવીઓને જોઈને સૂર્યાભદેવ ખુશખુશ થઈ ગયું. પછી તેણે પિતાના આભિગિક દેવને બેલાવીને આ પ્રમાણે કહ્યું: “હે દેવાનુપ્રિયે ! લાખ યેજનના વિસ્તારવાળું એક મોટું યાન વિમાન તમે જલદી તયાર કરે. એ મોટા વિસ્તારવાળા યાનમાં સેંકડે સ્તંભે ગોઠવવાના છે, એમાં જાત જાતના હાવભાવવાળી અનેક પૂતળીઓ જડવાની છે, જ્યાં ત્યાં શેભે એ રીતે વરુ, વૃષભબળદ, ઘેડા, મનુષ્ય, મગર, પક્ષી, સર્પ કે વાઘ, કિન્નર, શરભ, ચમરી ગાય, હાથી, વનવેલ અને કમળલે એ બધું ચીતરવાનું છે, થાંભલાઓ ઉપર વજની વેદિકાઓ બનાવવાની છે, વિદ્યાધર અને વિદ્યાધરીનું જેટલું જેમાં ફરતું દેખાય એવાં અનેક યંત્રે તે વિમાનમાં ગોઠવવાનાં છે, હજાર કિરણોથી સૂર્યની પેઠે ઝગારા મારે એવું હજારે રૂપકોથી યુક્ત એવું તે વિમાન રચવાનું છે, અને જેનારની આંખને શીતળ કરે એવું, અડકનારના હાથે સુખ ઉપજાવનારું, દેદીપ્યમાન, સુંદર, દેખાવડું, ટાંગેલી અનેક ઘંટીઓના મધુર રણકારાવાળું, દિવ્ય પ્રભાવવાળું અને વેગવાળી ગતિવાળું એવું એ યાન વિમાન શીધ્ર તૈયાર કરવાનું છે. હે દે ! તેવા તે ચાન વિમાનને તૈયાર કરીને તમે મને જલદી સમાચાર આપો.”
૪૭ આભિગિક દેવને સૂર્યાભદેવે પૂર્વોક્ત પ્રકારનું ચાન વિમાન બનાવવાની આજ્ઞા કરી તેથી તેઓ ખુશ થયા અને એ આજ્ઞાને તેમણે વિનયપૂર્વક માથે ચડાવી. પછી તેઓ ઉત્તરપૂર્વના ખૂણા તરફ ગયા, ત્યાં જઈને તેમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org