________________
શ્રી રાયપણુઈય સુત્ત સમક્ષ હાજર થવું” એવી એ સેનાપતિદેવે સૂચવેલી સૂર્યાભદેવની આજ્ઞાને ધ્યાનપૂર્વક સાંભળી.
૪પ સેનાપતિદેવે સંભળાવેલી સૂર્યાભદેવની આજ્ઞાને સાંભળીને એ બધાં દેવ અને દેવીઓ હર્ષિત થયાં. એમાંનાં કેટલાંકને તે ભગવાન મહાવીરને વાંદવાની વૃત્તિ થઈ આવી, કેટલાંક તે ભગવાન મહાવીરને પૂજવા માટે ઉત્સુક થઈ ગયાં, કેટલાંકને ભગવાન તરફ સત્કારને ભાવ ઊપ
જે, કેટલાંક ભગવંત તરફ સન્માનવૃત્તિવાળાં થયાં, કેટલાંક માત્ર કુતૂહલવૃત્તિથી જ ભગવાનની પાસે જવાને તયાર થવા લાગ્યાં, કેટલાંકને એમ થયું કે ભગવાન પાસે જશું તે જેવું આજ સુધી નથી સાંભળ્યું તેવું નવું સાંભ
શું; કેટલાંક એવું વિચારવા લાગ્યાં કે ભગવાન પાસે જશું તે અને, હેતુઓને, પ્રનાને, કારણોને અને વ્યાકરણોને પૂછવાને પ્રસંગ મળશે. બીજા કેટલાંક માત્ર સૂર્યાભદેવની આજ્ઞાની ખાતર જ તૈયાર થવા માંડ્યાં, કેટલાંક વળી પરસ્પરના અનુરાગથી ભગવાન પાસે જવાની તૈયારી કરવા લાગ્યાં, કેટલાંક જિનભક્તિના રાગને લીધે અને કેટલાંક ભગવાન પાસે જવાનો પોતાનો ધર્મ છે, આચાર છે, એમ સમજીને સજજ થવા લાગ્યાં. આ પ્રમાણે અનેક પ્રકારની વૃત્તિથી ઉત્સાહિત થએલાં તે દેવ અને દેવીઓ પોતપોતાની ત્રાદ્ધિ સમૃદ્ધિ અને પરિવાર સાથે તૈયાર થઈ પોતપોતાના યાન વિમાન સજજ કરી બરાબર વખતસર સૂર્યાભદેવની સમક્ષ હાજર થયાં.
૪૬ પોતે કરેલી સૂચના પ્રમાણે બરાબર વખતસર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org