________________
શ્રી રાયપાસેણઈય સુત્ત
૨૯ એ પાણી ભરેલું વાદળ પણ પાણીને વરસાવતું ગાજતું હતું અને વીજળીથી ચમકતું હતું.
૩૮ વળી, ત્રીજી વાર ક્રિયસમુદઘાત કરી તે દ્વારા તે દેવોએ ફૂલભરેલાં વાદળની રચના કરી. જેમ કેઈ માળીનો કુશળ યુવાન પુત્ર ફૂલભરેલી ચંગેરીઓ દ્વારા રાજસભાને પુપથી મઘમઘિત કરી દે તેમ તે દેવેએ મેઘની પેઠે ગાજતા અને વીજળીથી ઝબકતા એ ફૂલભરેલાં વાદળદ્વારા પાણીથી સુગંધિત કરેલી એ ભૂમિ ઉપર પાંચ પ્રકા૨નાં પુપને વરસાવી તેને ચારે બાજુથી હેક મહેક કરી મૂકી અને જમીનથી ઉચે એકએક જાન–હાથ સુધી ઉપરાઉપર પુષ્પોથી ખીચોખીચ ભરી દીધી. તે પુરપ પણ તેમણે એવી રીતે વરસાવ્યાં કે દરેક પુખનું ડિટિયું નીચું રહે અને કળીઓવાળો ભાગ ઉપર રહે.
૩૯ ત્યારપછી, પુપિથી મઘમઘતા એ ભૂમંડળને કેમ જાણે સુગંધને મહાસાગર ન બનાવવું હોય તેમ એ દેએ ત્યાં ચારે બાજુ ઉત્તમ કાળે અગર, ઉત્તમ કિનરૂ અને તુરુકને સુગંધી ધૂપ મૂકી તેને ઘણુંજ સુગંધિત કરી મૂકયું અને એવી રીતે કરી તે સ્થળે દેવ પણ આવી શકે એવું તેને આકર્ષક બનાવી દીધું.
૪૦ હવે આ બધું ભૂમિશુદ્ધિને લગતું કામ પતાવી તે દેવે શ્રમણ ભગવાન મહાવીર તરફ આવ્યા, ત્યાં આવી તેમને વાંદી નમી ત્યાંથી પોતાના સ્થાન ભણી જવા નીકળ્યા. જે જાતની વેગવતી પ્રચંડ ગતિથી તેઓ આવ્યા હતા તેજ ગતિદ્વારા જતા તેઓ સૌધર્મકલ્પને સત્વર પહોંચી
ગવતી પ્રચાર થાન ભણી જ ન આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org