________________
૨૪
શ્રી રાયપાસેણઈય સુત્ત
કડાં અને બેરખાંથી સ્તબ્ધ થએલી ભુજાઓને ભેગી કરી, દશે નખ એક બીજાને અડે એ રીતે બન્ને હથેળીઓ સાથે રાખી શિરસાવત પૂર્વક મસ્તકે અંજલિ જેડી તે આ પ્રમાણે છેઃ
૨૫ યાવત્ અજરઅમર ૬ સ્થાનને પ્રાપ્ત થએલા અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ, અજરઅમર સ્થાનને મેળવવાની વૃત્તિવાળા શ્રમણ ભગવાન મહાવીરને નમસ્કાર થાઓ, અહીં રહેલો હું ત્યાં રહેલા શ્રમણ ભગવાન મહાવીરને વાંદું છું, ત્યાં રહેલા શ્રમણ ભગવાન મહાવીર અહીં રહેલા મને જુએ છે. એમ કરીને તે સૂર્યાભદેવ ભગવાનને વાંદી નમી પાછો પૂર્વાભિમુખ થઈ સિંહાસન ઉપર બેસી ગયો.
૨૬ ત્યારપછી તે સૂર્યાભદેવના આત્મામાં ચિંતનરૂ૫, અભિલાષરૂપ આ આ પ્રકારને મને ગત સંક૯૫– વિચાર–ઉત્પન્ન થયેઃ
ર૭ “ગ્ય અવગ્રહપૂર્વક સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા શ્રમણ ભગવાન મહાવીર જબૂદ્વીપના ભારતવર્ષમાં આમલકીપા નગરીની બહાર અંબાલવણ ચૈત્યમાં આવીને વિહરે છે તે મારે માટે શ્રેયરૂ૫ છે.
૨૮ “તેવા પ્રકારના અરહંત ભગવંતોનાં માત્ર નામ ગેત્ર કાને પડે તો પણ તે મહાફલરૂ૫ છે, તો પછી તેમની સામે જવાને, તેમને વાંદરાને, નમસ્કાર કરવાને, તેમની પાસેથી કેટલાક ખુલાસા પૂછવાને અને તેમની ઉપાસના કરવાનો પ્રસંગ મળે તો તે કહેવું જ શું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org