SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ શ્રી રાયપાસેણીય સુત્ત આમલકમ્પાને એ જનસમુદાય ભગવાનની ઉક્ત દેશના સાંભળીને વિશેષ પ્રમુદિત થશે અને “ભગવાને નિગ્રંથ પ્રવચન ઠીક કહી બતાવ્યું છે” “એ કે ઈશ્રમણ કે બ્રાહ્મણ નથી જે આ પ્રકારની ધર્મદેશના કરી શકે એમ કહેતા કહેતે એ સમુદાય પોતપોતાના સ્થાનકે જઈ પહોંચે. ૧૮ રાજા સેય અને રાણી ધારિણે પણ ભગવાનની એ અપૂર્વ દેશના સાંભળીને પ્રસન્ન પ્રસન્ન થઈ ગયાં, તેમણે ભગવાનને વંદન-નમન કરી કેટલાક પ્રશ્નનોના ખુલાસા પૂછી લીધા અને પછી તેઓ નિગ્રંથ પ્રવચનની તેમજ ભગવાનની યશગાથા ગાતાં ગાતાં પિતાને મહાલયે આવી પહોંચ્યાં. ૧૯ જે સમયે શ્રમણ ભગવાન મહાવીર આમલકમ્પા નગરીની બહાર આવેલા અંબાલવણ ચૈત્યના સમવસરણમાં બિરાજતા હતા તે કાલે તે સમયે સૌધર્મક૯૫માં સૂર્યાભ વિમાનમાં સુધર્મા નામની સભામાં સૂર્યાભસિંહાસન ઉપર બેઠેલે સૂર્યાભદેવ પોતાના વિપુલ અવધિવડે સમગ્ર જંબૂદ્વીપ તરફ નજર નાંખી તેને બરાબર નિરખી રહ્યો હતે. ૨૦ એ સૂર્યાભદેવના પરિવારમાં ચાર હજાર સામાનિક દે, પોતપોતાના પરિવારથી વિંટળાએલી તેની ચાર પટ્ટરાણીઓ, ત્રણ સભાઓ, સાત સેનાઓ, સાત સેનાધિપતિઓ, સેળ હજાર આત્મરક્ષક દેવ અને સૂર્યાભવિમાનમાં રહેનારા બીજા પણ ઘણા દેવ અને દેવીઓ હતાં. ૨૧ સૂર્યાભસિંહાસન ઉપર બેઠેલો તે સપરિવાર સૂર્યાભદેવ-નાટય, ગીત, વાદ્ય, તંત્રી, તલ, તાલ, બીજા વિવિધ વાજા અને વાદનકળામાં દક્ષ પુરુષ જેને વગાડે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004870
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherLaghaswami Pustakalaya Limbdi
Publication Year1935
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy