________________
શ્રી રાયપણુઈય સુત્ત
૨૧
માત્રને સતાવ્યા કરે છે. શ્રમણેએ ધન મૂકયું, સ્ત્રી અને વહાલાં માતપિતા છોડ્યાં છતાં તેઓમાં વેશની, ઉપકરણની, ખાવાપીવાની, ચેલાચારીની, ગુરુની, ઉપાસકની, વાચનાની, વેશમાં પણ અમુક જ પ્રકારના વેશની અને સૌથી મોટામાં મોટી હાનિકારક તૃણું મેટા થવાની–મેટા કહેવરાવવાની છે. તૃષ્ણાનાં આ રાક્ષસી સ્વરૂપ આ શ્રમણોને પણ ઘડીએ પળે નડયા જ કરે છે–વેશ અને ઉપકરણોની તૃણામાંથી બચવા નગ્નભાવ ધારણ કરવા જતાં તેની જ એક તૃષ્ણા બંધાઈ ગઈ, ખાવાપીવાની જાળમાંથી બચવા અનશનવ્રતો આદરતાં તેમાં જ ફસાઈ જવા જેવું થયું, મનને ઠેકાણે લાવવા ભયંકર ઉગ્ર તપે, ઘેર દેહદંડને અને કેશલુંચન વગેરે ઘેરાતિઘોર બાહ્ય કષ્ટો કરવા જતાં તેમાંજ ટેવાઈ રસલીન થવા જેવું થયું ? આમ અનેક ઉગ્ર ઉપચારો ચાલુ છતાંય હજુ આ શ્રમણે ઠેકાણે આવતા નથી, તેમ છતાંય મારી શ્રદ્ધા છે—મારે અચળ વિશ્વાસ છે કે પ્રબળ પ્રયત્નની સામે તૃષ્ણ એક ક્ષણ પણ ટકી શકવાની નથી. મારા પિતાના જાતિ અનુભવથી કહું છું કે તમે પણ તૃણાની સામે મોરચા માંડશે તો જરૂર તેને છેદીને વિજય વરવાના જ.
(૫) “ઘેર સોના રૂપાના કેલાસ પર્વત જેવડા અસંખ્ય પહાડે હોય તે પણ એ દુઃખદ તૃષ્ણ શમતી નથી–એ તે આકાશ જેવી અમાપ છે. એનું શમન તે વિવેકપૂર્વક રહેવામાં છે અને તે પ્રમાણે પિતા પોતાના સર્વ વ્યવહાર ચલાવવામાં છે. ”
સવ સુખકર ભ્રાતૃભાવને ફરીવાર યાદ દેવરાવી ભાગવાને પોતાની દેશના પૂરી કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org