________________
૨૦
શ્રી રાયપસેણઈય સુત્ત ભ્રાતૃભાવ ઉપરજ ચાલતે હેય.
(૩) “તૃષ્ણનું ચક્ર એટલું બધું પ્રબળ છે કે મનુષ્ય તેનાથી શીઘ્ર છૂટે થઈ શકતું નથી–ઈચ્છા છતાં પિતાના વ્યવહારમાં વિવેકપૂર્વક રહી શકવામાં શિથિલતા આવ્યા કરે છે, આમ છતાં મુમુક્ષુ જનેએ ગભરાવાનું નથી જ, તેઓએ તો વારંવાર પ્રબળ પ્રયત્ન કર્યો કરવાનો છે અને તૃણાની પ્રવૃત્તિઓના પાશમાં ન ફસાતાં આત્મસંશોધનના પ્રયત્નમાં મચ્યાજ રહેવાનું છે.
(૪) “જુઓ–જે આ પ્રમાણે અહીં બેઠેલા છે તેઓ તૃષ્ણના ચકથી છૂટવા માટેજ શ્રમ કરી રહ્યા છે. તમે એમ ન સમજતા કે શ્રમણને માત્ર વેશ પહેરવાથી શ્રમણ થઈ જવાય છે. આ તે એક પ્રકારની શાળા છે. જેમ તમે નિશાળમાં જઈને અંકજ્ઞાન વગેરે વિદ્યાઓ શિખો છે તેમ આ મારી શાળાના શ્રમણ વિદ્યાર્થીઓ તૃષ્ણને ચકને છેદવાની વિદ્યા શિખી રહ્યા છે, તેઓ એ માટે સબળ પ્રયત્ન કરે છે, છતાંય તૃષ્ણાનાં નવાં નવાં રૂપ તેમને વારંવાર સતાવે છે જેથી તેમાં પણ ભારે અસમંજસતા ફેલાઈ રહે છે, આમ છતાંય તેમને કહું છું કે તેઓએ મુમુક્ષાવૃત્તિનો એક છોટે બાકી હોય ત્યાંસુધી જરાયા ગભરાવાનું નથી, પણ આરંભેલા પ્રયત્નમાંજ દિનપ્રતિદિન શિથિલતા છડી સવિશેષ ઉગ્ર બનવાનું છે. કેઈ તમે કહેશે કે શ્રમણ થયા પછી વળી તૃષ્ણા શાની? તો મારે જણાવવું જોઈએ કે તૃષ્ણા કાંઈ ધનની, સ્ત્રીની કે પુત્રની જ હોય છે એમ નથી, એ તો અનેક સ્વાંગ કરીને પ્રાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org