________________
શ્રી રાયપાસેણઈય સુત્ત
૧૯
ધખતી અશાંતિમાં હોમાય છે, માટે જ ધન પેદા કરનારા લેકેએ પરસ્પર બંધુતાની વૃત્તિને નાશ ન થાય તે તરફ વિશેષ લક્ષ્ય રાખી પિતપોતાને વ્યવહાર કરવો ઘટે. અન્યથા કોઈનું શ્રેય થવાનું નથી. માત્ર ધન પેદા કરનારો આ વિચાર ભાગ્યેજ કરે છે કે તેની ધનતૃષ્ણાની આગમાં આજ સુધીમાં કેટલાં માનવી હેમાયાં, કેટલાં પશુઓ અને પક્ષી બળીને ખાખ થઈ ગયાં, કેટલાં કટિ વૃક્ષે કપાયાં, કેટલાં બધાં સ્વચ્છ પાણીને હોમ થઈ ગયે, કેટલી બધી સ્વરછ હવાને બગાવે નાખી તેને વિનાશ થયો અને વિનાશ પામતી કેટલી આગે કેટકેટલાને બાળી નાખ્યાં. ધન પેદા કરવાની આ રીતનું જ નામ દુબુદ્ધિ છે-ઘોર હિંસા છે–પરસ્પર બંધુતાની વૃત્તિ શિથિલ થવી એ દાનવી વૃત્તિનું મુખ્ય લક્ષણ છે. એ ધર્મની, પુણ્યની, સુખની અને પ્રાણી માત્રની નાશક છે એ ભૂલવું ન જોઈએ. ક્રિયાકાંડનું હાડપિંજર એ વિશુદ્ધ ધર્મ નથી પણ તે હાડપિંજરમાં પરસ્પર બધુતાપ અહિંસાવૃત્તિનો પ્રાણ સંચાર એજ શુદ્ધ ધર્મને પાચે છે, માટેજ આર્ય પુરુષોએ એક અહિંસાને પરમ ધર્મ કહે છે.
(૨) “વિલાસી મનુષ્ય એમ માનતા હોય કે મારું શરણ તે ધન છે, મારે પરસ્પર બંધુતાની વૃત્તિ કેળવવાની શી જરૂર છે? તે એમ માનતા એ મૂઢ ખાંડ ખાય છે. માત્ર ધન હોવાને લીધે આજસુધીમાં કેઈનું ત્રાણ થયું નથી અને હવે પછી થશે પણ નહિ. આ લેક કે પરલોકમાં તેજ સુખી થશે કે જેનામાં વ્યાપક ભ્રાતૃભાવની
તિ પ્રકટી હોય અને જેને બધે વ્યવહાર એ વ્યાપક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org