________________
૧૮
શ્રી રાયપસેણઈય સુત્ત આમલકમ્પામે રાજા સેય અને રાણી ધારિણી પણ એ બધાંની સાથે શ્રમણ ભગવાન મહાવીરની સેવામાં જોડાયાં હતાં.
૧૭ આમલકાગ્યાના રાજા સેય, રાણી ધારિણી અને ત્યાંના જનસમુદાયને ઉદ્દેશીને શ્રમણગણમાં પરિવર્તન કરનાર શ્રમણ ભગવાન મહાવીરે પિતાની ધર્મસંશોધક વાણી સંભળાવી. તેમણે કહ્યું કે
(૧) “ જે મનુષ્ય દુર્બુદ્ધિથી પ્રેરાઈને પાપકર્મો કરી તે દ્વારા ધન પેદા કરે છે તેઓ આ વિરાટ વિશ્વને દુઃખના ઊંડા ખાડામાં ધકેલે છે અને પોતે પણ સતત તરફડિયાં મારતાં મારતાં ઝરી ખુરીને ઉપડી જાય છે-છેવટે લેશ પણ શાંતિ પામતા નથી. આ સંસારમાં શાંતિ પણ છે અને અશાંતિ પણ છે. શાંતિ કે અશાંતિ મેળવવી માનવીના પોતાના હાથનીજ વાત છે. મનુષ્યમાં તૃષ્ણવૃત્તિ વિશેષ બળવાન છે તેને લીધે એ સુખદુઃખનું ખરું સ્વરૂપ સમજી શકતો નથી, ઉલટું દુઃખને સુખ સમજે છે અને સુખને દુઃખ સમજે છે. એ તૃષ્ણાવૃત્તિની પ્રબળ બળવત્તાને જ લીધે કોધ વધે છે, મૂઢતા વ્યાપે છે અને મનુષ્ય પિતાનું– પિતાના સ્વરૂપનું–પતાના કર્તવ્યનું ભાન ભૂલી જાય છે એટલે આખર તે માનવ મટી દાનવી વૃત્તિ ઉપર આવી જાય છે. આમ થવાથી મનુષ્યની પરસ્પર હિતકારિણી બંધુતાની વૃત્તિ શિથિલ થાય છે, તેથી અન્ય અન્ય વૈરવૃત્તિ પેદા થઈ સર્વત્ર અશાંતિ ઉપજાવે છે. શું મનુષ્ય, પશુ કે પક્ષીઓ વા આ સ્થાવર જગત એ બધું એ ધખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org