________________
શ્રી રાયપણઈય સુત્ત
બધા જાય છે ત્યારે આપણે પણ જવું એ શિષ્ટતા છે–
ગ્ય છે એમ જુદી જુદી વૃત્તિવાળા તેઓ બધા ભગવાનની પાસે જવા નીકળ્યા.
૧૫ શ્રમણ ભગવાન મહાવીરની પાસે જનારા એ બધા ન્હાએલા, તેમણે બલિકર્મ કરેલું, તિલક વગેરે લગાડેલાં, માથે ડેકે માળાએ નાખેલી, હાર અર્પહાર ત્રણસરે હાર લટકતાં ઝુમણાં કટિસૂત્ર-કણદોરે વગેરે આભરણે પહેરેલાં અને સુંદર વસ્ત્રો સજેલાં તથા શરીરે ચંદન લગાડેલું,
એઓ કેટલાક ઘેડે ચડેલા, કેટલાક હાથી ઉપર બેઠેલા, રથ ઉપર ચડેલા, ઘુમ્મટવાળી પાલખીમાં બેઠેલા, અને ખૂલતી પાલખીમાં આવેલા હતા; વળી મેટા જનસમુદાયથી વિંટાએલા કેટલાક માત્ર પગે ચાલીને જતા હતા. એ બધા જનારાઓનો અવાજ એટલે બધે થતો હતો કે જાણે કઈ ખળભળેલો મહાસમુદ્ર ગાજતો ન હોય.
૧૬ આમલકપા નગરીથી બહાર ઈશાન ખૂણામાં આવેલા અંબાલવણ ચૈત્યમાં એ બધા જઈ પહોંચ્યા. ત્યાં છત્ર વગેરે તીર્થંકરના અતિશે જેમાં તેઓ પોતપિતાનાં પાન વાહન ઊભાં રાખી ઊતરી પડયા–ચાને છેડી નાખ્યાં, વાહને ચરવા છૂટાં મૂકી દીધો અને એઓ ભગવાનની પાસે આવી પહોંચ્યા, તેમને ત્રણ પ્રદક્ષિણ દીધી, વંદના કરી નમસ્કાર કર્યો અને ભગવાનની શુશ્રુષા કરતા તેઓ બહુ દૂર નહિ તેમ બહુ નજીક નહિ એ રીતે હાથ જોડીને તેમની સામે વિનયપૂર્વક બેઠા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org