SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ શ્રી રાયપણઈય સુત્ત અને કલ્યાણરૂ૫ મંગળમય દિવ્ય ચૈત્યની પેઠે તેમની પર્યુપાસના કરીએ તે એ, આપણે માટે આ ભવ પરભવ અને જન્મ જન્માંતરમાં હિતરૂપ થશે, સુખરૂપ અને નિઃશ્રેયસરૂપ નીવડશે. ૧૩ આમ વિચારીને ઘણા ઉ૫૯ ઉગ્રપુત્રે ભેગે ભેગપુત્રો રાજ ક્ષત્રિયે બ્રાહ્મણે ભટે ધો પ્રશાસ્તાઓ મલકિઓ લિચ્છવિપુત્રે લિચ્છવિઓ અને બીજા ઘણુ માંડલિક રાજાઓ યુવરાજે રાજમાન્ય પુરુષ મડંબાધિપો કોટુંબિક-કણબીઓ ઈભ્ય શ્રેષ્ઠિઓ સેનાપતિઓ સાથેવાહ વગેરે અનેક લેકે જ્યાં ભગવાન ઊતર્યા હતા ત્યાં જવા નીકળ્યા. ૧૪ એમાંના કેટલાક શ્રમણ ભગવાન મહાવીરને વાંદવાની-નમવાની વૃત્તિવાળા હતા, કેટલાક માત્ર ભગવાનને જોવાના ઈચ્છુક હતા, કેટલાક તો “ભગવાન કેવા હેય ” એ જાતના કુતૂહલથી જવા પ્રેરાયા હતા, કેટલાકને અર્થવિનિશ્ચય-ખુલાસા મેળવવા હતા, કેટલાકને એમ હતું કે ત્યાં જઈશું તે અશ્રુતપૂર્વ સાંભળશું અને જે સાંભળ્યું છે તે સંબંધી શંકાઓ દૂર કરશું, કેટલાકે એમ ધારેલું કે આપણે તે ભગવાનની પાસે સર્વ પ્રકારે મુંડભાવ ધારણ કરી અગાર—ઘર છોડી અનગાર થશું, કેટલાકે એ સંકલ્પ કરેલો કે આપણે પાંચ અણુવ્રતવાળે અને સાત શિક્ષાવ્રતવાળે એમ બાર પ્રકારને ગૃહિધર્મ સ્વીકારશું, કેટલાક તે માત્ર જિનભક્તિના રાગથી પ્રેરાયા હતા અને કેટલાક ગતાનુગતિક હતા અર્થાત્ તેઓ એમ સમજેલા કે આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004870
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherLaghaswami Pustakalaya Limbdi
Publication Year1935
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy