________________
૧૪
શ્રી રાયપણઈય સુત્ત
ઉત્તમ હાથી જેવી મલપતી લલિત અને વિકમવાળી ગતિ, હાથીની સૂંઢ જેવા શોભન ઉરુઓ, ઢાંકણીમાં બરાબર બેઠેલા માંસલ બન્ને ઘૂંટણે, હરણ જેવી રુડી વૃત્ત જેઘાઓ, સુશ્લિષ્ટ સુસંસ્થિત અને બહાર ન કળાય તેવી શુંટીઓ,
કાચબાના ચરણ જેવા સુપ્રતિષ્ઠિત ઉન્નત ચારુ ચરણે, નાની મોટી છતાં પગની આંગળીઓ સુસંહત અને કમળ, પગના નખે રાતા અને ચમકતા, તળિયાં રાતાં કમળના પત્ર જેવાં સુકોમળ અને મૃદુ, પગમાં પર્વત નગર મગર સાગર ચક વગેરેની જેવી ઉત્તમ રેખાઓ,
વિશિષ્ટ રૂપ જાજવલ્યમાન અગ્નિ, ચમકતી વીજળી, અને તરુણ સૂર્યની જેવું ઉગ્ર તેજ તથા અંગમાં ઉત્તમ પુરુષનાં અંગમાં હોય એવાં એક હજાર આઠ સુલક્ષણઃ ૪૯ શ્રમણ ભગવાન મહાવીર શરીરે એવા પ્રકારના હતા.
૯ સ્વભાવે શ્રમણભગવાન મહાવીર અનાસવ-આસવ૫૦ વિનાના-સામાજિક વા આધ્યાત્મિક દૂષણ જેથી ઉત્પન્ન થાય તેવી પ્રવૃત્તિ વિનાના, મમતારહિત, અકિચન –એચ્છિક ગરીબીને વરેલા-અપરિગ્રહી, સંસારના સ્ત્રોત-પ્રવાહ-નહિ વહેનારા, આસક્તિ વિષયાનુરાગ દ્વેષ અને અજ્ઞાનથી પર રહેલા, નિગ્રંથ પ્રવચનના ઉપદેશક, શ્રમણ શાસ્તાઓના નાયક-તેમના વ્યવસ્થાપક શ્રમણોના અધિપતિ, શ્રમણછંદમાં પરિવર્તન કરનારપર -કાન્તિ કરનાર, બુદ્ધિને છાજે એવા ચોવીશ અતિશયોથી૫૩ સંપન્ન હતા.
વચનના પાંત્રીશ ગુણેથી૫૪ સંયુક્ત એવા શ્રમણ ભગવાન મહાવીર જે વખતે આમલકીપા નગરીમાં આવ્યા તે વખતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org