________________
શ્રી રાયપણુઈય સુત્ત
૭ આ તરફ
એ રાજા રાણુંના રાજ્યકાળમાં ગામેગામ ફરતા અને સુખે સુખે વિહરતા શ્રમણ ભગવાન મહાવીર આમલકમ્પા નગરી તરફ પધાર્યા, અને નગરીથી બહાર ઇશાનખૂણું તરફના અંબાલવણ ચૈત્યમાં પૂર્વવણિત વનખંડથી વિરાજિત અશોક વૃક્ષની નીચે આવીને ઊતર્યા, ત્યાં તેઓ યથોચિત અવગ્રહ ધારણ કરી પૂર્વાભિમુખ થઈ એ કાળી શિલાપાટ ઉપર પર્યકાસને ૩૯ રહી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા રહેવા લાગ્યા.
એ શ્રમણ ભગવાન મહાવીર આદિકર, તીર્થકર, સ્વયંસંબુદ્ધ, પુરુષોત્તમ, પુરુષસિંહ, પુરુષવરપુંડરીક, પુરુષવરગંધહસ્તી, અભયદાતા, નેત્રદાતા, માર્ગદર્શક, શરણદાતા, જીવિતદાતા, દ્વીપસમાન, ત્રાણપ, શરણરૂપ, ગતિ-આશ્રય-રૂપ, આધારરૂ૫, ધર્મચકને પ્રવર્તાવનાર, વિશુદ્ધ જ્ઞાન અને દશનથી યુક્ત, છારહિત, જિન-જય મેળવનાર, જિતાવનાર ૪૧ તરનાર, તારનાર, મુક્તક મુકાવનાર, બુદ્ધિ, બાધ આપનાર, સર્વજ્ઞ, સર્વદર્શી અને અપુનરાવર્તનની શિવ૫, અચલ, રોગ, અક્ષય અવ્યાબાધ સિદ્ધિને મેળવવાના અભિલાષી એવા હતા.
૮ એમના શરીરની ઉંચાઈજર સાત હાથ, સંસ્થાન સમચોરસ અને સંહનન–શરીરનો બાંધો-વજી જે મજબૂત હતે. શરીરની અંદરના વાયુઓ અનુકૂળ રહેતા, મલાશય કંક પક્ષીના મલાશય જેવો નીરોગ, જઠર પારેવાના જઠર જેવું તીવ્ર, માલવિસર્જનનાં સ્થાન પક્ષીનાં મલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org