________________
શ્રી રાયપણઈય સુત્ત
સ્વસ્તિક, શ્રીવત્સ, નંદાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન, કલશ, મસ્યા અને દર્પણ–એ આઠ મંગલોર લટકાવેલાં હતાં.
વળી, વજીના ડાંડાવાળાં રૂપેરી પટ્ટાવાળાં કમળ જેવાં સુગંધી, કાળાં, નીલાં, લાલ, પીળાં અને ધોળાં ચામરે ટાંગેલાં હતાં; એ ઉપરાંત એ અશક તરુ ઉપર બીજાં ઘણાં ઉપરાઉપર લટકતાં છત્રે, ઉપરાઉપર લટકતી ધજાઓ, ઘંટ અને ચામરની જેડી, સર્વરત્નમય પદ્મ, કુમુદ, નલિન, સુભગ, સૌગધિક, પુંડરીક, મહાપુંડરીક, શતપત્ર અને સહસપત્રના હાથે ખેડેલા ૨૫ હતા.
૪ એવા પૂજાપાત્ર એ અશેકવૃક્ષની નીચે એક મોટી કાળી શિલાપાટ હતી.
અશોક વૃક્ષના થડની લગોલગ આવેલી એ શિલાપાટ ઉંચાઈ, લંબાઈ અને પહોળાઈમાં પ્રમાણસર હતી.
જાંબુડા, નીલાં કમળને ઢગલે, મરકતમણિ, બીયાનું વૃક્ષ, આંખની કીકી અને તરવારના વર્ણ જેવી તે કાળી શિલાપાટ, આંજણનાં વૃક્ષે, મેઘને સમૂહ, નીલાં કમળ અને બલદેવના વસ્ત્રની માફક ચમકતી હતી તથા ભમરાએનું ઝુંડ, આંખને સુરમે, ગળીની ગોળીઓ, પાડાનું શિગડું-એ બધાં કરતાંય વધારે કાળી તે શિલાપાટ, જેનારને કેમ જાણે પથરાઈને બેઠેલા ભમરાઓનું ઝુંડ ન હોય એવો ભાસ કરાવતી હતી.
એને કાળો રંગ ઘન-ઘેરે હતું, એ ક્યાંય કોઠલાની જેમ પોલી ન હતી, રૂપમાત્રનાં પ્રતિબિંબ તેમાં આરિસાની પેઠે પડતાં, ઘાટે સિંહાસન જેવી આઠખૂણે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org