________________
શ્રી રાયપસેણઈય સુત્ત
તરુઓની આસપાસ રિંગણ વગેરેના નાના છેડા તથા નવમાલિકા વગેરેના મંડપે શેભતા; એ બધાં વિશેષ ઉન્નત તરુવર પર ધ્વજ ફરક્યા કરતા.
અશોક વૃક્ષની ચારે બાજુ શેભાયમાન એ વૃક્ષકુંજમાં કયાંય જાળિયાંવાળી ચેરસ વાવીઓ, ક્યાંય ગેળ વા, ક્યાંય કમળવાનાં નાનાં નાનાં પિખો અને ક્યાંય પાણીથી ભરેલી લાંબી લાંબી સીધી નીકે વગેરે અનેક જળાશયે એ વૃક્ષઘટાની શોભામાં વળી વિશેષ વધારે કરતાં; જેટલી જાતની સુગંધ હોય છે તેટલી બધી એ ઘટામાંથી મહેકતી તેથી તેને લેકે “ગંધધ્રાણિ૨૧ કહેતા.
પઘવેલ, નાગવેલ, અશેકવેલ, ચંપકવેલ, આંબાવેલ,૨૨ વનવેલ, વાસંતીવેલ, માધવીવેલ, કુદવેલ અને શ્યામવેલ વગેરે બીજી અનેક વેલીઓથી એ વૃક્ષરાજિ વીંટળાએલી રહેતી, વનરાઈના પ્રત્યેક વૃક્ષના મૂળમાં કે આસપાસ ઉગેલાં ડાભ વગેરે ઘાતકતૃણે નીંદી નાખેલાં હતાં અને ઉક્ત બધી વેલડીઓ ફળફુલોથી નિત્ય લચકતી રહેતી.
એ વનરાઈમાં કેટલાય કીડારો, સંગ્રામર, ગાડાંઓ, ગોળ ઘુમ્મટવાળી પાલખીઓ, ખૂલતી પાલખીઓ વગેરે અનેક પ્રકારનાં વાહન છૂટેલાં રહેતાં, અને સુખે સુખે જવા આવવા માટે ઠેકઠેકાણે વિચિત્ર પ્રકારના સેતુઓ–પૂલે ગરનાળાઓ બાંધેલાં હતાં તથા ફરવારવા માટે અનેક પાકા સુંદર માર્ગો ૩ કરેલા હતા.
ઉક્ત વનરાજિથી વિરાજિત એ ઉત્તમત્તમ અશેકવૃક્ષ ઉપર રત્નથી બનેલ, નિર્મળ, દેદીપ્યમાન, દેખાવડાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org