________________
શ્રી રાયપણુઈય સુત્ત
મેટાં તીણ ચકો, ગદાઓ, મુસંઢીઓ, સે જણાને કચરી નાખે એવી મેટી મોટી શિલાઓ વગેરે શસ્ત્રો દરવાજે દરવાજે ટાંગેલાં હતાં, નગરીની ફરતે ધનુષ જે વાંકડો કોટ ગેળ ગોળ કાંગરાઓથી શોભતો હતો, ચેકીદારને બેસવાની અટારીઓ કેટમાં ખૂબ ઉચી ઉચી કરવામાં આવી હતી, કેટ તથા નગરીની વચ્ચેને માગ૧૦ આઠ હાથ પહોળે રાખેલે હો, કેટની પિોળના દરવાજાઓમાં નાના નાના ગઢે રચેલા હતા અને એ દરવાજાઓ મજબૂત રીતે જડેલા હતા,
નગરીના રાજમાર્ગો સારા સારા વિભાગવાળા હતા, ત્યાં વ્યવહારીઆઓની મોટી વસતી હતી અને હારરોજગારનું તે એ નગરી મેટું મથક હતું, કુંભાર, સુતાર, લુહાર વગેરે શિલ્પકારી લેકેનો ત્યાં સુખે નિર્વાહ થતો હતો,
નગરીના કેટલાક માર્ગો સિંગોડા૧૧ જેવા ત્રિકોણ હતા, જ્યાં ત્રણ કે ચાર શેરીઓ ભેગી થાય એવા કેટલાક ત્રિક માર્ગો અને ચતુષ્ક-ચેક માર્ગો હતા અને જ્યાં અનેક શેરીઓ ભેગી થાય એવા કેટલાય ચાચર–ચત્વર માર્ગો હતા, રાજમાર્ગ ઉપર રાજાની અવરજવર ખૂબ રહેતી, નગરીના માર્ગોમાં ઉત્તમ ઘડાઓ, ઝૂલતા હાથીઓ, શણગારેલા રથો, શિખરવાળી ઘુમટદાર પાલખીઓ, ઝૂલતી પાલખીઓ અને બીજા અનેક વાહનની હરફર ઠીક રહેતી,
ત્યાંના જળાશયે ખીલેલાં કમળાથી ચમકતાં હતાં અને ધોળાં ધોળાં મોટાં મહાલયે જાણે આભના ટેકારૂપ હેય એવાં અડગ જણાતાં હતાં. એવી એ આમલકીપા નગરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org