________________
૩૨
પરંતુ આપણે ત્યાં આગમની અભ્યાસ તત્ત્વજિજ્ઞાસાની દષ્ટિએ વા ઐતિહાસિક દષ્ટિએ થાય છે જ ક્યાં ? એ તે માત્ર પૂજ્ય દૃષ્ટિએ વંચાય છે એટલે આવાં સંસ્કરણે ચાલી શકે.
આગમોનાં શુદ્ધ સંસ્કરણ, મૂળ પાઠ, પાઠાંતરો, ટિપણ, તુલના વગેરેની અદ્યતન પદ્ધતિદ્વારા થાય તો મારી ખાત્રી છે કે જૈન સમાજમાં સાંપ્રદાયિક કલહ ઘણો ઓછો થઈ જાય; પણ આ જ્ઞાનપૂજામાં રસ છે કોને ?
જૈન આગમ ભારતવર્ષના મૂળ ઇતિહાસમાં ઘણાં નવાં દષ્ટિબિંદુઓ ઉઘાડી શકે એમ છે, પણ એ મૂક આગમે શું કરી શકે ?
ગૂજરાત વિદ્યાપીઠદ્વારા જે રીતે સન્મતિતકનું સંપાદન સંશધન થયું છે તે રીતેજ આગમોનાં સંસ્કરણ કાઢવા કેઈ આગમભક્તને, ભગવાન મહાવીરના પૂજકને અને તેમના અહિંસાતત્ત્વના પ્રશંસકને મારી નમ્ર વિનંતિ છે.
ટિપ્પણોમાં અનેક સ્થળે બૌદ્ધ ગ્રંથ દીઘનિકાયને ઉપયોગ કર્યો છે, એ પુસ્તક બીકાનેરવાળા શ્રી. અમરચંદ ભૈરવદાન શેઠિયા તરફથી મને વાપરવા મળે, તે માટે તેમને હું આભારી થયો છું.
આ અનુવાદને જન્મ મુનિ શ્રી છોટાલાલજીએ કરેલા પ્રશ્ન વ્યાકરણના અનુવાદની ચર્ચામાંથી થયે છે. આ અનુવાદના આદ્ય પ્રેરક મુનિરાજ શ્રી છોટાલાલજીએ મને જે આ તક આપી છે તે માટે તેમને હું ખાસ ઋણી છું અને અનુવાદગત દોષોને સહી લેવા જિજ્ઞાસુઓને નમ્રપણે સૂચવું છું. અનુવાદ સાથે મેં યથામતિ કેટલાંક ટિપ્પણે પણ જડેલાં છે, તે પર વાચક વર્ગ જરૂર લક્ષ્ય કરશે. પ્રફે વગેરેના સંશોધનને ભાર રા.રા. ચુનીલાલ વ. શાહે ઉપાડ છે તે માટે તેઓ પણ ધન્યવાદાઈ છે. આગામેના શુદ્ધ પ્રકાશન માટે ફરીવાર પણ શ્રી લાધાજી સ્વામી પુસ્તકાલયને તંત્રવાહકોનું ધ્યાન ખેંચું છું.
તીવરી
(જોધપુર-મારવાડ)
આસો વદિ ૭. U
બેચરદાસ જીવરાજ દોશી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org