________________
૩૧
૩. સંપ્રદાયની માન્યતા પ્રમાણે આ સૂત્ર બીજા અંગનું ઉપાંગ કહેવાય છે, પણ તેની ઉપપત્તિ ઘટી શકતી નથી અથવા જે ઉપપત્તિથી આ સૂત્રને બીજા અંગનું ઉપાંગ ઠરાવાય છે તે જ ઉપપત્તિ આ સૂત્રને પ્રથમ કે તૃતીય અંગના ઉપાંગ તરીકે ગણાવવા પૂરતી છે; માટે આ બાબત પણ વિશેષ ગષવા યોગ્ય છે.
આ બધી બાબતો વિશે ભગવતી સૂત્રના બીજા ભાગના ટિપણમાં મેં થોડી ઘણી ચર્ચા કરેલી છે તે જોઈ જવાની ભલામણ છે.
આ સૂત્ર સંબંધે આ ઉપરાંત બીજા પણ અનેક પ્રકનો ઉદ્દભવે છે પણ સ્થળ અને સમયના સંકોચથી તે બધાને સંકેલી લેવા જગ્યા છે.
આ અનુવાદ કરવામાં મેં આગમેદય સમિતિવાળી સટીક મુદ્રિત પ્રતિને ઉપયોગ કર્યો છે. ઉપરાંત પાટણની ત્રણ પ્રતિએક મૂળની, એક ટીકાની અને એક ટબાની તથા ભાવનગરની એક મૂળની અને એક ટબ્બાવાળી એમ બધી મળીને લખેલી પાંચ પ્રતિઓનો પણ આશ્રય લીધે છે. લખેલી પાંચે પ્રતિ લગભગ ૪૦૦-૫૦૦ વર્ષ જેટલી પ્રાચીન હતી એ, તે તે પ્રતિઓમાં આવેલા છેલ્લા ઊતારાઓ ઉપરથી જણાતું હતું. પાટણની પ્રતિએ આપવા માટે સહદય મુનિરાજશ્રી પુણ્યવિજયજીને અને ભાવનગરની પ્રતિઓ આપવા માટે ધર્મપરાયણ શેઠ કુંવરજીભાઈનો હું કૃતજ્ઞ છું.
સમિતિવાળી મુદ્રિત પ્રતિ માટે તેના સંપાદકનું ઋણ વ્યક્ત કરવા સાથે મારે એ સ્પષ્ટપણે જણાવવું જોઈએ કે એ મુદ્રિત પ્રતિ રીતસર શેધાએલી નથી. એમાં મૂળગત પાઠ અને ટીકાગત પ્રતીક પાઠેમાં પણ સંવાદ નથી. ટીકાકાર જેને પાઠાંતર ગણે છે તે પાઠ એ પ્રતિમાં મૂળમાં ભળી ગયો છે અને જે મૂળ પાઠ છે તે પાઠાંતરમાં ચડી ગયો છે. જે લોકે ઐતિહાસિક દષ્ટિએ અને જિજ્ઞાસાબુદ્ધિએ આગમોનું અવલોકન કરવા ઈચ્છે છે તેમને માટે આવાં સંસ્કરણે નિષ્ફળ છે, એટલું જ નહિ, ઘણીવાર શ્રમજનક પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org