________________
૩૦
પેલા કેબેજ દેશના ઘોડાની હકીકત જે અહીંના આખ્યાનમાં છે તે પાયાસીની કથામાં નથી જણાતી અને પીએસીનું જે ભાવિ વૃત્તાંત આ આખ્યાનમાં પૂર્વમાં નેધેલું છે તે પાયાસીન આખ્યાનમાં ક્રમ પ્રમાણે છેવટે જણાવેલું છે. તદુપરાંત સૂર્યાભદેવે કરેલી નાટયરચના અને બીજી વિધિઓ તે પાયાસીના આખ્યાનમાંથી નીકળી ગઈ છે.
આ રીતે થોડે ઘણે ફેરફાર છતાં મૂળ વતુ બન્ને આખ્યાનમાં બરાબર સચવાએલી છે એ વિવાદ વિનાનું છે. આ ઉપરથી આ આખ્યાનની ઐતિહાસિક કિંમત ઘણું વધી જાય છે. આ અને ભિન્નભિન્ન પરંપરાઓ પણ કેવી રીતે સમાનતાના પ્રવાહમાં વહી રહી છે તે પણ જણાઈ આવે છે.
રાજા પાસેનજિત અને પએસી વા પાયાસી એ બન્ને એક નથી એ વસ્તુ કોઈ ન ભૂલે.
બન્ને આખ્યાનનાં પાત્રો અને સ્થળ વિશેની સવિસ્તર ઐતિહાસિક માહિતી આપવી જરૂરી છે પણ અહીં તો જે કેટલાક મહત્ત્વના મુદ્દાઓ ઝુરે છે તે વાચકેની જાણ માટે નોંધી દઉં છું.
૧. સૂત્રનું મૂળ નામ રાયપાસેણઈય છે કે રાયપએસિય છે ? પ્રથમ નામ કબૂલ રાખીએ તો તેમાં રાજા પ્રસેનજિતનો સંબંધ માલુમ પડે છે અને બીજું સ્વીકારીએ તે તેમાં રાજા પએસીને સંબંધ જણાય છે અને હાલ જે સ્થિતિએ સત્ર ઉપલબ્ધ છે તેમાં છે પણ પસીને સંબંધ. ટીકાકાર (શ્રી મલયગિરિ–આચાર્ય હેમચંદ્રના સમસમી) મૂળ નામ સાથે રાજા પએસીનો સંબંધ વ્યક્ત કરે છે, ત્યારે ટીકાકારની પૂર્વે થએલા આચાર્યો રાજા પ્રસેનજિતને સંબંધ જણાવે છે.
૨. અંગ-આગમાં અનેક સ્થળે બાર અંગોનાં નામે તે જણવેલાં છે પણ બાર ઉપાંગનાં નામે કઈ મૂળ- અંગ સૂત્રમાં જણાવેલાં છે ખરાં ? ઉપાંગેની યોજનાના ઇતિહાસ માટે આ પ્રશ્ન અવશ્ય વિચારણીય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org