________________
વણને દબાવી દેવાની વૃત્તિ, શાંત કરવા માટે મુંઝવણને પ્રકટ કરવાની અશક્તિ વા પ્રકટ કરતાં કોઈ જાતના ભયની આશંકા ઈત્યાદિ અનેક દુગુણ મુમુક્ષુ જિજ્ઞાસુના જીવનવિકાસનો સંહાર કરે છે.
કથાનાયક એસીમાં આ દુગુણ ન હોવાથી જ તે વિદેહ સ્થિતિને પામે છે એ આપણે ધ્યાનમાં રાખવા જેવું છે.
આ કથામાંથી સંપ્રદાયબદ્ધ જિજ્ઞાસુઓ જે કાંઈ મેળવશે તેનાથી તેમને વિકાસ જ થવાને એ આશાથી વિરમું છું.
[એક વિલક્ષણ સમાનતા ] બૌદ્ધ પરંપરા અને જૈન પરંપરા એ બન્નેનું એક નામ શ્રમણપરંપરા છે. તે બન્નેમાં અને પ્રકારની સમાનતાઓ રહેલી છે. શબ્દરચનાની, ભાવસંકલનાની, શ્રમણના આચારબંધારણની વા કેટલીક ખાસ ખાસ શબ્દની સમાનતાઓ ઉપરાંત આખાં આખાં આખ્યાનની સમાનતા પણ મળી આવે છે. જે આખ્યાન-આ એસીનું આખ્યાન વાચકની દૃષ્ટિ સમક્ષ છે તે આખું આખ્યાન જેવું ને તેવું જ બૌદ્ધ પરંપરાના “દીઘનિકાય” નામના સુત્તપિટક ગ્રંથમાં પાયાસિસુત્તના મથાળા નીચે નોંધેલું છે.
પસીના આ આખ્યાનમાં મુખ્ય નાયક પએસી છે ત્યારે બદ્ધ આખ્યાનમાં નાયક પાયાસી છે.
ઉપદેષ્ટા ત્યાં કુમારકાશ્યપ છે ત્યારે અહીં કેશીકુમાર છે. બન્ને ઉપદેષ્ટા પાંચસે ભિક્ષુઓના અધિષ્ઠાતા છે અને ઉપદેશનું સ્થાન બને સ્થળે શેતવિયા–સેતવ્યા નગરી છે.
કલ્યાણમિત્ર અહીં ચિત્ત છે ત્યારે ત્યાં ખત્ત છે.
પ્રyવ્ય સ્થાને-પરલોક નથી, કોઈ પપાતિક સત્તા નથી અને સુકૃત દુષ્કૃતરૂપ કર્મોનું ફલ નથી–એ બધાં બન્નેમાં સમાન છે.
આ પ્રષ્ટ સંબંધે જે જે પ્રતિવચને અને તેમને લગતી યુક્તિપ્રયુક્તિઓ આવી છે તે બધીય બન્નેમાં લગભગ સમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org