________________
પરવા કરી નથી તે બરાબર નથી કર્યું. હવે તારે એ ઘેડાને અંકુશમાં લાવવા પડશે. સર્વથા ઈષ્ટ તો એ છે કે એ ઘેડાઓને વેગ તદ્દન બંધ જ થઈ જાય; પણ એ એકદમ તે ન જ બને તે હું મારા અનુભવથી સમજું છું, માટે જ તને એ પ્રવૃત્તિ ક્રમ પૂર્વક કરવાની સૂચના કરું છું:
પ્રથમ તે તારે તારા પૂર્વગ્રહ ધીરે ધીરે છેડવા, અહિંસાસર્વપ્રાણિપ્રેમ–વૃત્તિ કેળવવી, એ માટે પ્રથમ તો તારે તારી નિકટ વસતા માનવીઓનાં સુખદુઃખ જાણવા પ્રયત્ન કરો અને એમના જીવનવિકાસને સંધનારાં એ દુઃખે મટાડવા માટે અખિન્નપણે ભરચક ઉદ્યમ સેવકો તથા એ માટે તારે તારી પોતાની જાતનો ભેગ આપ પડે તે પણ જરૂર આપ. એક જ વાર તું એ રીતે તારી જાતને ભેગ આપીશ ત્યારે તને જરૂર આત્માની ઝાંખી થવાની એ ખાત્રીથી માન અને પછી જેમ જેમ એ તારે આપગ વધતો જશે તેમ તેમ તને તારા આત્માને લગતા પ્રયાસમાં વધુ ને વધુ સફળતા મળશે.
શ્રી કેશી મુનિરાજે જે કાંઈ કહ્યું તે બધું રાજા પએસીએ ધ્યાનપૂર્વક–ઘણી જ સાવધાનતાથી–સાંભળ્યું–અવધાર્યું અને તેનું મનન કરી તે ઘેરણે જીવનને અખતરો કરવાને તેને ઊમળકો પણ થઈ આવ્યા.
રાજાને તેની સરળ પ્રકૃતિ અને આત્માર્થ સંબંધી તાલાવેલીને લીધે એ બધું તદ્દન નવું છતાં અજમાવવા જેવું તો લાગ્યું જ.
પછી તે તેણે “સેવે સદ્દગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ
પામે તે પરમાર્થને નિજ પદને લે લક્ષ. ” “ પ્રત્યક્ષ સગુગથી સ્વચ્છેદ તે રોકાય
અન્ય ઉપાય કર્યા થકી પ્રાયે બમણું થાય. ” “ માનાદિક શત્રુ મહા નિજ છેદે ન મરાયા
જાતાં સદ્દગુરુ શરણમાં અલ્પપ્રયાસે જાય.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org