________________
પામે, તે કરમાઈ ન જાય, તે માટે તું જે હજારે પ્રયત્ન સેવી રહ્યા છે અને એ પ્રયત્નો માટે હજારે માનવોની શક્તિને ઉપયોગ કરી રહ્યું છે તે બધું તારે જતું કરવું પડશે.
આત્મસુખ આત્માદ્વારાજ વેદી શકાય છે. આત્મા પિતાના જ સુખથી સંતુષ્ટ છે. “આમન્થવ ગામના તુઝઃ ” એ સિદ્ધાંતને તારે જીવનવ્યવહારમાં સાવધાનીથી આચરો જોઇશે.
ખરું કહું તો આપણે બધા શરીર, ઇકિય, મન અને સંકહિપોથી ઉપજતાં સુખમાં સંતોષ મેળવી અને તેજ સુખને પરમ સુખ માની તેની પાછળ પડયા છીએ અને તે મિથ્યા પ્રયાસને લીધે જ આત્મસુખને સ્વાદ ચાખી શકતા નથી.
જેમ એક વ્યાપારી વ્યાપાર અર્થે દેશાંતરમાં જાય. તે એવી મોટી આશા રાખે કે હું લક્ષાધિપતિ થાઉં. રસ્તામાં જતાં તેને એક નિધાન મળી જાય અને તેમાંથી તે માત્ર હજાર મુદ્રા પામી પાછો વળે અને તે દ્વારા જ સંતુષ્ટ થઈ જેમતેમ જીવનનિર્વાહ કરે. તેને બીજો વ્યાપારી સમજણ આપે કે, ભાઈ ! આ હજાર મુદ્રાને બીજા વ્યાપારમાં રોકી તેમાંથી દસગણું કે શતગુણ બીજી મુદ્રા કમા, પણ તે સાહસ વિનાનો એમ કરતાં ભય પામે છે અને મળેલી હજાર મુદ્રા ક્યાંક ચાલી જાય તો પછી શું થાય ? એમ સમજી સાહસ કરવા સમર્થ થતો નથી. પિતે અનેક સાહસિકોને એ રીતે લક્ષાધિપતિ થએલા નજરે પ્રત્યક્ષ જુએ છે છતાં તેને પૂર્વગ્રહ છૂટતું નથી, તેમ આપણે પણું શરીર ઈકિય મન અને સંકલ્પથી જ થતાં સુખોમાં સપડાયા છીએ, તેથી એ સુખને છેડી વા એ સુખ ઉપર અંકુશ મુકી અંતમુખ થઇ શકતા નથી. પૂર્વગ્રહજ સુખ છેડતાં આપણે આપણું જાતને અશરણ દુઃખી અને કષ્ટમય થઈ ગએલી કપીએ છીએ.
પએસી ! જ્યાં સુધી આપણે આપણા પૂર્વગ્રહનો એ ગ્રંથિ ભેદીને આગળ ન વધીએ ત્યાં સુધી આત્માના અનુભવ માટેના આપણું સર્વ પ્રયાસો નય ફાંફાં છે. સાહસ કર્યા વિના છૂટકે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org