SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ હલાવે છે ? ઉડીને આપણા તરફ આવતી આ ધૂળ કેણ ઉડાડે છે ? શું છે તે પાંદડાં હલાવનારને વા ધૂળ ઉડાડનારને જોઈ શકે છે? પએસી બોલ્યોઃ મહારાજ ! હલાવનાર તે પવન છે, પણ હું તેને જોઈ શકતો નથી. મુનિ બોલ્યાઃ એસી ! પવન તો રૂ૫ રસ ગંધ સ્પર્શ અને શબ્દવાળે છે છતાં આપણે તેને નરી આંખે જોઈ શકતા નથી, તે રૂપ રસ ગંધ સ્પર્શ અને શબ્દથી પર રહેલા આકાર વિનાના એવા અમૂર્ત આત્માને આપણે નરી આંખે શી રીતે નિહાળી શકીએ ? આત્મા આંખને વા બીજી કોઈ ઇકિયને વિષય નથી, માટે તેને શોધવા તેં કરેલા ભૌતિક પ્રયોગ તદ્દન નકામા નીવડે એ બનવાજોગ છે; એ તો એક માત્ર અનુભવનો જ વિષય છે. હા, એ ખરું કે, તેં જે પ્રયોગો પેલા ચોરના શરીર ઉપર કર્યા તેજ પ્રયોગ તારા પોતાના શરીર ઉપર અજમાવ્યા હતા તે કદાચ તને આત્માની પ્રતીતિ થાત ખરી. હજુ કાંઈ વખત વીત્યે નથી. તું એજ પ્રયોગ તારી પિતાની જાત ઉપર–તારી ઈદ્રિયો, મન, શરીર અને સંકલ્પો ઉપર અજમાવીશ તે તને “આત્મા છે” એવી ખાત્રી થયા વિના નહિ રહે. પએસી ! આત્માની પૂર્ણતયા પ્રતીતિ થાય એ માટે હું પણ મારી જાત ઉપર ઘણું ઘણું આકરા પ્રયોગો અજમાવી રહ્યું છું, તેથી મને આત્માની પ્રતીતિ તો છે, પણ હજુ તેની પૂર્ણતયા પ્રતીતિ– આત્માને પૂર્ણ સાક્ષાત્કાર-બીજા ઘણા આકરા પ્રયોગોની રાહ જુએ છે. એ બધા આકરામાં આકરા પ્રગોની કસેટીમાંથી અશુદ્ધ રીતે પસાર થઈ શકીશ તો જ હું પૂર્ણ આત્માને અનુભવી શકીશ. પએસી ! આત્માનો અનુભવ મેળવવા અને તેને સર્વ પ્રકારે સાક્ષાત્કાર પામવા તારે અંતર્મુખ થવું પડશે. રૂપ રસ ગંધ સ્પર્શ અને શબ્દજન્ય સુખને મેળવવા મન અને ઈકિયે જે દોડાદોડી કરી રહ્યાં છે તેમને તારે સંયમમાં રાખવાં પડશે; આ સ્થૂળ શરીર સુખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004870
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherLaghaswami Pustakalaya Limbdi
Publication Year1935
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy