________________
શ્રી રાયપાસેણઈય સુત્ત : ટિપણે
૨૧૧
આવ તથા ત્યાંનાં રાજકાર્યો, રાજનીતિઓ અને રાજવ્યવહારે તું જાતે પિતે જ જેતે સાંભળતે થોડે વખત ત્યાં રાજા જિતશત્રુની પાસે રહી પણ આવ.” કિશી કુમારશ્રમણ
૧૨૮ દીઘનિકાયમાં આમને સ્થાને કુમાર કાશ્યપ (પાલીકુમાર કસ્સ૫) નું નામ છે. કાશ્યપને ભિક્ષુ સમુદાય પાંચસેની સંખ્યામાં બતાવેલ છે. કુમાર કાશ્યપને શ્રમણ ગૌતમના (ગૌતમ બુદ્ધના) શ્રાવક તરીકે વર્ણવેલ છે. (બૌદ્ધ શાસનમાં ત્યાગી હોય તે શ્રાવક અને ગૃહસ્થ હોય તે ઉપાસક ) આ કુમારકાશ્યપ સીધા જ સેયવિયા નગરીમાં આવે છે ત્યારે કેશીકુમાર--શ્રમણ સાવથીએ આવ્યા પછી સેવિયા ભણી જાય છે. આજન્મ બ્રહ્મચારી હોય તે કુમારશ્રમણ કહેવાય. મૂળ તે કુમારશ્રમણ શબ્દ યૌગિક છે પણ પછી તે બ્રાહ્મણ મુનિ વગેરે શબ્દની પેઠે રૂઢ થયે લાગે છે. પાણિનીયના મૂળ અષ્ટાધ્યાયમાં પણ એ શબ્દને ઉલ્લેખ છે એટલે એ શબ્દ પ્રાચીન છે. અહિદ્ધા દાન
૧૨૯ સ્થાનાંગસૂત્રની ટીકામાં (પૃ. ૨૦૨ ) બહિદ્ધા એટલે મિથુન અને આદાન એટલે પરિગ્રહ એમ જણાવેલું છે અથવા સ્ત્રીપરિગ્રહ વા બીજે પણ કોઈ પ્રકારને પરિગ્રહ “બહિદ્ધાદાન માં સમાઈ જાય છે. કેશ કુમારશ્રમણ ભગવાન પાર્શ્વનાથન અનુયાયી હતા માટે તેમણે ચાર મહાવતને ઉપદેશેલાં છે. અણુવ્રત-શિક્ષાવ્રત
૧૩૦ ભગવાન મહાવીર પછી કેટલાક સમયે અણુવ્રત, શિક્ષાવ્રત અને ગુણવ્રત એ સ્પષ્ટ વિભાગ થયેલો છે, જે વર્તમાનમાં પ્રચલિત છે. એ વિભાગ વ્રતને સ્પષ્ટતાપૂર્વક સમજવા માટે જ જાયેલો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org