________________
૨૧૦
શ્રી રાયપાસેણઈય સુત્ત ઃ ટિપ્પણો
ના નામથી જે ગામ આજે જાણિતું છે તે આ “ સાથી” છે એમ પ્રાચીન ભૂગોળના શોધકો કહે છે. આ માટે વધારે જાણવા સારૂ જીએ મારી “ ભગવાન મહાવીરની ધર્મકથાઓ 'માંનું “ શ્રાવસ્તી” ઉપરનું ટિપ્પણ. ભેટ આપી આવ
૧૨૭ મૂળ સૂત્રમાં જણાવેલું છે કે “સાવથીને રાજા જિતશત્રુ, સેવિયાના રાજા પએસીને અંતેવાસી હતો.” અંતેવાસી શબ્દ શિષ્યના ભાવને સૂચવે છે. શિષ્ય જેમ ગુરુની આજ્ઞાને ધારક હોય છે તેમ રાજા જિતશત્રુ, રાજા પએસીની આજ્ઞાનો ધારક હતો અર્થાત તેના તાબાનો ખંડિયે રાજા જિતશત્રુ હતો. પરિસ્થિતિ આમ છતાં રાજા પએસી પિતાના સારથિ ચિત્તને પોતાના તાબાના રાજા જિતશત્રુને ભેટશું આપી આવવાની જે ભલામણ કરે છે તેનું શું કારણ હોવું જોઈએ ? ખરી રીતે તે તાબાના ખંડિયા જિતશત્રુ રાજાએ પિતાના ઉપરીભૂત રાજા એસીને પ્રથમ ભેટછું મેકલવું જોઈએ.
આ સંબંધે મૂળમાં કે ટીકામાં કશે ખુલાસો મળતો નથી, પણ ક૯૫નાથી જે ખુલાસે સૂઝે છે તે આ છે. કેટલીએક વાર તાબાના ખંડિયા રાજાએ, પિતાના ઉપરીભૂત રાજા કરતાં બળ, સેના, કોશધનભંડાર અને બીજી બાબતમાં આગળ વધવાને ગુપ્ત પ્રયાસ કરે છે અને તેમ કરી પોતાના ઉપરીભૂત રાજાને હઠાવી તેને સ્થાને આવવાનો અને પિતાનું અંડિયાપણું ભૂંસવાનો પ્રયત્ન પ્રચ્છન્નપણે સેવતા હોય છે, આ પરિસ્થિતિની જાણ જ્યારે ઉપરીભૂત રાજાને થાય છે ત્યારે તે મુખ્ય રાજ, રાજનીતિશાસ્ત્રને અવલંબીને તે માટે તપાસ કરવા પ્રયત્ન કરે છે અને તે પ્રયત્ન કરવાનાં જેમ બીજાં પણ અનેક નિમિત્ત હોય છે તેમ “ભેટ મોકલવી ” તે પણ એક નિમિત્ત છે. આ જ વસ્તુને રાજા પોએસી પિતાના સારથિ ચિત્તને નીચેના શબ્દોમાં જણાવી રહ્યા છેઃ “ ચિત્ત ! તું આ ભેટ આપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org