________________
શ્રી રાયપાસેણઈય સુત ઃ ટિપણો
પુસ્તકરત્ન
૧૧૧ સ્વર્ગીય બધા પદાર્થો રત્ન અને મણિ વગેરેના વર્ણન વેલા છે તેમ ત્યાંનું પુસ્તક પણ રત્નમય છે એમ મૂળકાર કહે છે. પુસ્તકની રત્નમયતા પાષાણ ઉપર લખવાના યુગની યાદી આપે છે. લખવા માટે પાંદડાં કે કાગળ જ્યાં સુધી નહિ શધાયાં હતાં તે પહેલાં પુસ્તકે પત્થર કે માટીની ઈટો ઉપર લખાતાં એ હકીક્ત ઇતિહાસપ્રસિદ્ધ છે. આ સ્વર્ગીય પુસ્તક પણ પાષાણમય (રત્નમય-રત્ન પણ એક જાતને પાષાણુ છે) હાઈને પત્થર ઉપર લખાએલું હોય તે સ્વાભાવિક છે. મૂળકાર, પુસ્તક તેની શાહી લેખણ ખડિયું અક્ષરે અને ખડિયાનાં ઢાંકણુ સુદ્ધાંનું અદ્દભુત વર્ણન કરે છે, પણ તેઓ પુસ્તકના નામ બાબત કશો ઉલ્લેખ કરતા નથી, તેમ તેના મૂળકર્તા, ટીકાકાર, તેમાં આવેલા વિષયોની ચર્ચા વગેરે પુસ્તક સંબંધી મહત્ત્વની બાબત માટે એક આંકડે પણ પાડતા નથી. જે અંગ ઉપાંગે કે પૂર્વે વગેરે જૈનશાસ્ત્ર પ્રસિદ્ધ છે તેના કરતાં એ પુસ્તક શું કોઈ જુદા પ્રકારનું હશે ? મૂળમાં ફક્ત એટલું લખેલું છે કે એ પુસ્તકમાં ધર્મ સંબંધી લખાણ છે, પણ તે લખાણ કયા ધર્મને લગતું છે ? કોણે લખેલું છે અને શા ઉદ્દેશથી લખેલું છે એવી કોઈ માહિતી મૂળાકારે આપી નથી. બીજી વાચનામાં આ પુસ્તકને “ધHિu સાથે” અર્થાત “ધાર્મિક શાસ્ત્ર' તરીકે જણાવેલું છે. આ સ્થળે મૂળ અને ટીકામાં પાઠભેદ છે. જે પાઠ ટીકામાં બીજી વાચનાને કહેલો છે તેને સંપાદકે આ મૂળમાં છાપેલો છે અને જે પાઠને ટીકાકારે પ્રસ્તુત મૂળનો મૂળપાઠ જણાવેલ છે તે પાઠ મૂળમાં દેખાતું નથી. આવા પ્રકારના મૂળમત અને ટીકાગત પાઠભેદે આ સૂત્રમાં તેમજ અન્ય સૂત્રોમાં અનેક સ્થળે રહેલા છે તેથી વિચારક અભ્યાસી શુદ્ધ અને પ્રાચીન પાઠને તારવી કાઢી અર્થ મેળવવા પ્રયત્ન કરે તો જ મૂળના ભાવને પામી શકે, નહિતા ભુલાવામાં પડે તેવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org