________________
૨૦૨
શ્રી રાયપસણય સુત્ત ઃ ટિપ્પણે
સુદ્રક મહેંદ્રધ્વજ ” આમ લખેલું છે, તે પણ પરસ્પર સંગત નથી. મેટે હોય તે ક્ષુદ્રક કેવી રીતે અને શુદ્રક હેય તે મેટો કેવી રીતે ? પ્રતિમાઓના
૧૦૮ પ્રતિમાઓનું આ વર્ણન કુતૂહલ જનક છે. પ્રતિમા કે ચિત્રમાં જે ભાગ દશ્ય હોય તેનું તે વર્ણન થાય પણ જે ભાગ દશ્ય ન હોય તેનું વર્ણન વધારે પડતું નથી ? આ વર્ણનમાં પ્રતિમાના અદશ્ય ભાગને પણ વર્ણવેલો છે જેમકે પ્રતિમાની જીભ, તાળવું અને દાંત. નાગપ્રતિમાઓ
૧૦૯ સૂર્યદેવના વિમાનમાં તે બધા વૈમાનિક દેવો રહે છે, ત્યાં નાગે અને ભૂતનો નિવાસ નથી તેમ સંબંધ પણ નથી, છતાં એ વિમાનમાં નાગે અને ભૂતની પ્રતિમાઓ શા માટે સ્થાપેલી હશે ? સ્થાપેલી તો ઠીક પણ એમને જિનપ્રતિમાઓની આગળ શા માટે મૂકવામાં આવી હશે ? નાગોની અને ભૂતની પ્રાચીન પૂજાપદ્ધતિની આમાં અસર તો નહિ હોય ? લોકો નાગોથી અને ભૂતથી ભય પામતા અને તેમાંથી પિતાનું રક્ષણ મેળવવા તેઓએ નાગે અને ભૂતોની પૂજા પ્રવર્તાવેલી એ વાત પ્રસિદ્ધ છે; ત્યારે શું સૂર્યાભદેવ પણ નાગોની અને ભૂતની પૂજા કરતા હશે ખરો ? એને પણ એમનાથી ભય હશે કે કેમ ? નાગ અને ભૂત એ બને નામે એક બળવાન અને સુપ્રસિદ્ધ વંશને પણ સૂચવે છે, તો શું અહીં વપરાએલા તે બન્ને શબ્દો એ વંશના સૂચક છે કે નાગદેવતા વા ભૂત પ્રેત વ્યંતરના સુચક છે, એ બાબત પણ વિચારવા જેવી તો ખરીજ. સરસવ-તેલ
૧૧૦ શ્રી જિનની પ્રતિમાઓ પાસે પણ આ સરસવ તેલ હિંગળોક વગેરેના ડબાઓનું શું કામ હશે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org