________________
શ્રી રાયપણુઇય સુત્ત : ટિપણે
૨ ૦૧
માનવું જોઈએ. આ ઉપરથી એમ પણ કળી શકાય છે કે પ્રાચીન સમયના પરિમાણવાચક કેટલાક શબ્દના અર્થો આજ ઘણા સમયથી ગુમ થયા લાગે છે અને કદાચ એને જ લીધે જાણે પ્રાચીન સમયનાં માપ બાબત વિસંવાદ ઊભું ન થતો હોય ? દસ યોજન ઊંડી
૧૦૫ મૂળમાં નંદા પુષ્કરિણીની ઊંડાઈ દસ જન કહેલી છે ત્યારે ટીકાકાર તેની ઊંડાઈ બહોતેર યોજન બતાવે છેઃ “યલ લોયરું ” પૃ૦ ૮૮. – “ઊંડાઈમાં દસ એજન.”
ટ્રાસસતિયોગનાનિ ન” “ઊંડાઈમાં બહોતેર યોજન” પૃ. ૯૧
આ તો ખરેખર પાઠભેદ છે. આવા પાઠભેદે આગમના મૂળ શુદ્ધ પાઠે બાબત સંદેહ ઉપજાવે એવા ન કહેવાય ? આ ઉપરથી બીજું એ પણ તારવી શકાય એમ છે કે ટીકાકાર સામે જે વાચના છે તે જુદી છે અને આ છપાએલું મૂળ વળી બીજી કોઈ વાચનાનુગત છે. છત્રીશ પેજન
૧૦૬ મૂળમાં બત્રીશ યોજન છે ત્યારે ટીકામાં છત્રીશ પેજન છે. “વત્તીના નાયg”–પૃ. ૮૯. “બત્રીશ યોજનોમાં.”
“ષત્રિતિ ચોગનેy”–પૃ૦ ૯૨. “ છત્રીશ યોજનામાં.”
આ પાઠભેદ તો મુદ્રણદોષને લીધે થયે જણાય છે. મુલક
૧૦૭ આ વર્ણન ક્ષુલ્લક મહેંદ્રધ્વજને લગતું છે પણ પૂર્વવર્ણિત મહેંદ્રધ્વજ અને આ ક્ષુલ્લક મહેદ્રધ્વજના માપમાં કશો ફરક બતાવ્યો નથી. પૂર્વે વર્ણવેલો મહેંદ્રધ્વજ સાઠ યોજન ઊંચે છે, અને આ ક્ષુલ્લક પણ સાઠ યોજન ઊંચે છે. આમ ઊંચાઈમાં સરખાઈ છતાં આને ક્ષુલ્લક શા માટે કહ્યું હશે ? વળી આના વર્ણનમાં મૂળમાં તે “મળે નવુ રિંક” –પૃ૦ ૯૩. અર્થાત “ એક મોટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org