SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ શ્રી રાયપણુઈય સુત્ત : ટિપણે શખો ૯૨ વાઘનાં જે જે નામે અહીં આપેલાં છે તેમાંના કેટલાંક સ્પષ્ટ સમજાતાં નથી. લોકગમ્ય કહીને ટીકાકારે તેમની વ્યાખ્યા જતી કરી છે. જિજ્ઞાસુઓએ તે તે વાઘની માહિતી ઉસ્તાદ વગાડનારાઓ પાસેથી જાણું લેવી ઘટે. ઓગણપચાસે જાતનાં ૯૩ મૂળમાં વાજાંઓના ભેદની સંખ્યા ઓગણપચાસ જણવેલી છે પણ એજ મૂળ પાઠ પ્રમાણે વાજાઓની સંખ્યા ઓગણસાઠ થાય છે. આ વિસંવાદનું સમાધાન કરવા ટીકાકાર કહે છે કે એ ઓગણપચાસ તો મૂળભેદો સમજવાના છે અને વધારાના તેના પેટા ભેદો છે. (“gવનાગાડું જૂળTof [૪૧] ગાતોન્નવિMારું વિવરमलभेदापेक्षया आतोद्यभेदा एकोनपञ्चाशत् शेषास्तु एतेषु एव अन्तर्भवन्ति ચા ચંપાતોચાને વાટી–વેળ–રિટીવ (દ્ર ?) [ રૂતિ-પૃ. ૫૦) અભિનય ૯૪ ભારતનું નાટયશાસ્ત્ર, નાટય સંગીત વગેરેને લગતી અનેકવિધ માહિતીઓથી ભર્યું પડયું છે. અહીં નાટચના જે બત્રીશ પ્રકાર કરી દેખાડ્યા છે તેમાંના કેટલાક તો એ નાટયશાસ્ત્રમાં બતાવેલા છે. જેવા કે– સંકુચિત, પ્રસારિત, કુત, વિલંબિત, અંચિત વગેરે. ૮૭મી કંડિકાથી ૧૦૬ મી કંડિકા સુધીમાં એ બધા અભિનયનો ચિતાર આપેલો છે. ઘણખરા અભિનયનો ભાવ સમજાય એવો છે. એમાંના કેટલાંક પશુપક્ષીને લગતા, વનસ્પતિને લગતા, જગતના અન્ય પદાર્થોને લગતા, પ્રાકૃતિક પ્રસંગને લગતા અને ઉત્પાતને લગતા છે. વળી કેટલાક લિપિને લગતા છે-જે અભિનયે “ક” વગેરે અક્ષરોની આકૃતિને લગતા છે તે બધા લિપિસંબંધી અભિનો છે. બ્રાહ્મી લિપિમાં + આવી આકૃતિ “ક” ની છે એટલે એ આકૃતિ પ્રમાણે ગોઠવાઈને જે અભિનય કરી બતાવવો તે “ક”ની આકૃતિનો અભિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004870
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherLaghaswami Pustakalaya Limbdi
Publication Year1935
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy