________________
બરાબર લાગ જોઈને એક વાર ચિત્તે કહ્યુંઃ મહારાજ ! આપણે ત્યાં કેબેજ દેશના પેલા જે ચાર ઘેડાઓ આવેલા છે તેમની તે હજુ પરીક્ષા પણ ન કરી, તે હવે ક્યારે કરવાના છે ?
રાજાએ કહ્યું: ચિત્ત ! આજે જ કરીએ, ચાલ, તૈયાર થા અને એ ઘોડાઓને ધરમાં નાખી રથ જોડી લાવ.
બન્ને જણા રથમાં બેસી અશ્વપરીક્ષા માટે બહાર નીકળ્યા. ચિત્ત સારથિએ રથને પૂરપાટ હાંકી મૂ, બહુ દૂર જઈ પહોંચ્યા. રાજા તે થાકી ગયો અને ગરમી તથા ઘળથી ગભરાયો. એણે રથને પાછો વળાવ્યો.
ચતુર અને સમયજ્ઞ ચિત્તે વિશ્રાંતિ માટે તેજ બગીચે પસંદ કર્યો જ્યાં તેના ગુરુ કશી મુનિ ઊતર્યા હતા,
બગીચામાં પહોંચી ઘેડા છોડ્યા, તેમને ચારે નાખ્યો અને બન્ને જણ થાક ખાવા બેઠા. એવામાં રાજા પએસીને કાને કેશી મુનિને ઘેર અવાજ અથડાયો.
રાજા બડબડ્યોઃ આ મુંડકે અહીં આટલે છે. થાક ખાવા આવ્યા છીએ તો પણ સુખે નિરાંતે બેસવા દેતે નથી, આ તે આવડે મેટો ઘાટ શેને?
ચિત્તે ઘણું જ નમ્રતાથી પિતાના પ્રિય રાજાને મુનિને પરિચય કરાવ્યું અને તેમની વિદ્વત્તાની થેડી પ્રશંસા પણ કરી. સરળ સ્વભાવી રાજા મુનિને મળવા ઉત્સુક થયે અને બન્ને જણ–રાજા અને અમાત્ય-મુનિશ્રી પાસે પહોંચ્યા.
સજાએ આત્મા જન્માંતર અને પુણ્ય પાપ સંબંધેની પિતાની જિજ્ઞાસા મુનિ સમક્ષ રજુ કરી અને કહ્યું:
હે શ્રમણાયુષ્મન ! મેં આત્મા વગેરે તત્વોને શોધવા પ્રાપ્ત કરવા ઘણા ઘણા પ્રયોગો કરી જોયા છતાં અત્યારસુધીમાં હું એ પ્રયોગમાં અફળ નીવડ્યો છું અને અત્યારસુધીના મારા જાતજાતના એ પ્રયોગો ઉપરથી હું એવા નિર્ણય ઉપર આવ્યો છું કે આત્મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org