SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ અને તેના સમર્થનમાં જણાવ્યું કે–ચિત્ત ! જે વનમાં ઘણાં દુષ્ટ શ્વાપદે રહેતાં હોય તે વનમાં વસવું સલામત કહેવાય ? તેમ જ નગરમાં કર રાજાનું શાસન પ્રવર્તતું હોય ત્યાં આવવું શું એયરૂપ છે? પછી તો તે ચિતે કેશી મુનિને કહ્યું કે–સ્વામી ! આપ દેવાનુપ્રિયને પએસી રાજાનું શું કામ છે ? રાજધાનીમાં બીજા ઘણા ય સાર્થવાહે ઈ વસે છે, તેઓ આપને આદર કરશે અને ખાનપાન વગેરેની વિપુલ સામગ્રીધારા આપની સેવા કરશે. ચિત્તનું એ જાતનું સુવ્યવસ્થિત આગ્રહભર્યું આમંત્રણ જાણું કેશી મુનિએ કહ્યું કે, એમ છે તે વળી પ્રસંગે વાત-ફરતાં ફરતાં ત્યાં આવી જશું. પછી તો ચિત્ત રાજધાની સેવિયામાં આવ્યું, પિતાના ગુરુસંબંધે તેને ભારે ખટકે હતો તેથી આવતાં જ તેણે બગીચાના માળીઓને લાવ્યા અને તેમને ભારપૂર્વક ભલામણ કરી કે, આપણું આ રાજધાનીમાં શ્રી કેશી નામના એક મેટા જ્ઞાની મુનિરાજ આવવાના છે, તેઓ આપણું બગીચામાં ઊતરશે, તે તેઓ જયારે પધારે ત્યારે તમે બધા તેમને બહુ વિનયપૂર્વક આદર કરજે, તેમને વાંદ-નમજે અને ખાનપાનની સામગ્રીદ્વારા તેમને સત્કાર કરજે. વખત જતાં કેશ મુનિ પણ ગામેગામ ફરતા ફરતા રાજા પએસીની રાજધાનીમાં આવી પહોંચ્યા. ચિત્તે તેમને ખૂબ આદર કર્યો અને કહ્યું કે હું આપની પાસે રાજા પએસીને કઈ ને કઈ બહાને લાવીશ તે ખરાજ, પછી આપ તેને ધર્મ અધર્મની સમજણ પાડશે, રાજાને સમજાવતાં જરા પણ ગ્લાન ન થશે-કંટાળશે નહિ, તેમજ તેને જે સમજાવવું હોય તે નિડર થઇને સમજાવજે, એમાં લેશ પણ અચકાશો નહિ. ચિત્તની તો પહેલેથી જ ઈચ્છા હતી કે શ્રી કેશી મુનિ અને રાજા પએસીનો સમાગમ થાય તો રાજાની વૃત્તિમાં કોમળતા આવે અને તેમ થાય તો કેજ્ય દેશની પ્રજા પણ સુખી થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004870
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherLaghaswami Pustakalaya Limbdi
Publication Year1935
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy