SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ શ્રી રાયપાસેણઈય સુત્ત ઃ ટિપણે ઝડપ બતાવવા લાખ જનની સંખ્યા બતાવેલી છે. એ ઝડપને સમય બતાવતાં મૂળકાર “વિચાર” શબ્દનો ઉપયોગ કરે છે. “જોયાसयसाहसितेहिं विग्गहेहिं ओवयमाणे वीतीवयमाणे ताइ उकिटाए" એ મૂળપાઠનું વિવરણ કરતાં ટીકાકાર જણાવે છે કે “દ્રિવ્ય ટેવા योजवशतसहस्रकैः योजनलक्षप्रमाणैर्विग्रहैः क्रमैः अवप:न् अधस्ताद् अवત” ઈત્યાદિ (- પૃ૦ ૪૩) અર્થાત “ એ સૂર્યાભદેવ પિતાની દિવ્ય દેવગતિના પ્રયોગદ્વારા લાખ યોજન પ્રમાણ વિગ્રહે વડે નીચે ઊતરત ચાલ્યો આવે છે.” ટીકાકારે વિગ્રહનો અર્થ “ક્રમ” બતાવ્યું છે. ક્રમને અર્થ “પગલું અથવા “અનન્તરતા-અવ્યવધાન થાય છે “પરંપરા–ટા–માનતર્ય–વલંઘg ગરિ મ" અહીં અવ્યવધાન અર્થ વિશેષ સંગત છે. દેવ પોતે વિમાનમાં બેઠેલે છે માટે પગથી તે ચાલતું જ નથી, એટલે એક લાખ જનની ગતિ જ્યારે એણે શરુ કરી ત્યારથી અવ્યવધાનપણે એ જ ઝડપે ચાલી રહ્યા છે. જ્યાંથી પિતે નીકળે છે ત્યાંથી જ તેને એ વેગ છે. અર્થાત આપણી ભાષામાં ક્ષણ કે પળ વા વિપળ જે શબ્દ કહીએ તે શબ્દ, લાખ જનની ગતિના કાળ માટે બંધ બેસે એમ છે. જે વિપળે એક લાખ જન ચાલ્યો ત્યારપછીના તુરતના વિપળે પણ તે એટલું જ ચાલે અને એમ નિરંતર ચાલતો ચાલતો તે ઊતરતો આવે છે અર્થાત એ દેવની ગતિની ઝડપ એક વિપળે એક લાખ યોજનની કહેવાય એમ આપણે આપણા શબ્દમાં કહી શકીએ. શાસ્ત્રીય ભાપામાં “વિજ્ઞહે' શબ્દને “વાંક વળવું' પણ અર્થ પ્રસિદ્ધ છે. જ્યારે જીવ જન્માંતર માટે પ્રયાણ કરે છે ત્યારે તેને ઘણુવાર વાંક વળવો. પડે છે. સીધે ચાલતાં ચાલતાં જ્યારે તે વાંક વળે છે–વાંક લે છે ત્યારે વાંક વળતાં એક સમય જેટલો વખત જીવને લાગે છે એટલે ‘વિગ્રહને અર્થ એક સમય પણ કહી શકાય. આ ઉપરથી એમ પણ કહી શકાય કે સૂર્યાભદેવની ગતિની ઝડપ એક સમયે લાખ જિનની હતી. પળ કે વિપળ કરતાં “સમય” ઘણે સૂક્ષ્મ છે એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004870
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherLaghaswami Pustakalaya Limbdi
Publication Year1935
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy