________________
૧૯૨
શ્રી રાયપણઈય સુત્ત ઃ ટિપણે
અંતરંગ સભા
૮૨ સૂર્યાભદેવ પિતે ત્રણ સભાઓ રાખતો હતો અંતરંગ સભા મધ્યમસભા અને બાહ્યસભા. કોઈ રાજકર્તા, પોતાના વહીવટની સુવ્યવસ્થા માટે સભાઓની જે જાતની યોજના કરે છે તે જાતની આ દેવસભાની ચેાજના છે. તીર્થકરોની પાસે આવવા સિવાય તે દેવનો બીજો શું વહીવટ છે ? અને એ સભાઓ શામાટે સ્થપાએલી છે ? તે વિશે કશી માહિતી મળતી નથી. અથવા સ્વર્ગમાં રત્ન વગેરેની ચેરી, અનાચાર, દેવીઓનાં અપહરણ વગેરે ગુન્હાઓ બને છે એવું કેટલાંક બીજાં વર્ણને ઉપરથી સમજાય છે, તે તે સંબંધી ન્યાય કરી સજા વગેરે આપવા એ સભાઓ જાએલી હોય તે ના ન કહેવાય; પરંતુ એ સભાના કોઈ સભ્ય અમુક દેવને અમુક દંડ કે અમુક સજા કરી એવું કયાંય વાંચેલું નથી. વિમાનની પ્રદક્ષિણા
૮૩ વિમાન ઉપર ચડતાં પહેલાં દેવ, તેની ફરતી પ્રદક્ષિણા કરે છે તે શું વિમાનની પૂજ્યતા બતાવવા માટે કે પિતાના નિવાસનું બહુમાન સૂચવવા માટે ? જે લોકે નવા ઘરમાં પ્રવેશ કરવાના હોય છે તેઓ તેમાં પેસતાં પહેલાં વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે તે ઘરનું પૂજન કરે છે–શાંતિકામ કરે છે અને ત્યારપછી તેઓ તેમાં રહેવા આવે છે, તેમ શું આ દેવ પણ નવા બનાવેલા વિમાનમાં બેસતાં પહેલાં વાસ્તુશાસ્ત્રના નિયમને તો નહિ અનુસરતો હોય ? લોકો નવા ઘરનું પૂજન ન કરે તો તેમને નવા ઘરને અધિષ્ઠાતા દેવ હેરાન કરે એવી લોકમાન્યતા છે, પણ દેવ નવા વિમાનની પ્રદક્ષિણા ન કરે તે વળી તેને બીજે કયે દેવ હેરાન કરે એમ છે? અથવા આ વિમાનદ્વારા તે દેવ, તીર્થકર ભગવંતના દર્શને જાય છે એટલે કદાચ તેણે તેની પ્રદક્ષિણા કરી હોય, અથવા કોઈ પિતાના વિરોધી દેવે વિમાનને કશું નુકસાન નથી કર્યુંને, એ જાણવા પ્રદક્ષિણા કરવાની પદ્ધતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org