________________
=
=
===
શ્રી રાયપણઈય સુત્ત ઃ ટિપણે
૧૯૧
ગજબ પ્રભાવ વર્ણવેલો છે અને બીજી તરફ વળી માનવીના ક્રમ પ્રમાણે તે દેવોઠારા વિમાનના ઘડતરની પ્રવૃત્તિ વર્ણવેલી છે. તે આ બધું વર્ણન, વર્ણનની ખાતર કવિસમયની દષ્ટિને લક્ષ્યમાં લઈને કરેલું છે કે તેમાંથી બીજું કાંઈ સમજવાનું છે તે સમજી શકાતું નથી. દંતરાગ-ઉચંતક
૭૮ આનો અર્થ સમજાતું નથી, પણ ગળી જેવા રંગને તે કઈ પદાર્થ હવે જોઈએ એમ એના પ્રસંગ ઉપરથી જણાય છે. સુગંધી
૭૮ હીરા પન્ના મોતી કે મણિ વગેરે ઝવેરાતના ઊંચામાં ઊંચા પદાર્થો સૌ કોઈને પ્રત્યક્ષ છે, તેમાં પ્રકાશ તેજ ચળકાટ કે અમુક ખાસ પ્રકારને રંગ વગેરે તે દેખાય છે, પરંતુ તેમાંના કેઈમાં કઈ પ્રકારને ઉત્કટ ગંધ હોવાનું જાણ્યું નથી. ત્યારે દેવસૃષ્ટિના એ મણિએ વધુમાં વધુ સુગંધી હોય છે એ એક નવું જાણવા જેવું ખરું. પૃથ્વી ગંધવતી છે એ ખરી વાત, પણ મણિએને જે ગંધ અહીં વર્ણવેલો છે તેવા ઉત્કટતમ ગંધ, માનવીસૃષ્ટિના કોઈ પણ સ્થળમાં નીપજેલા કે નીપજતા મણિએમાં જણાતો નથી, એ ધ્યાનમાં રાખવા જેવું છે. કેમળ કોમળતર
૮૦ મણિએ જે પાષાણમય પદાર્થ સુંવાળામાં સુંવાળો– અતિશય લીસો હોઈ શકે ખરે, પણ તે, રૂ માખણ કે શિરીષ જે નરમ હોવાનું કહેવામાં એ દિવ્ય મણિઓની અતિશય સુંવાળપ બતાવવા મૂળકારે ઉપરની કંડિકામાં એ વર્ણન આપેલું હશે. ઘડા જેવડું
૮૧ મેતીને ઘડા જેવડું કહેવામાં મેતીની વધારેમાં વધારે મેટાઈ બતાવવા પૂરતું આ વર્ણન હોઈ શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org