________________
શ્રી રાયપાસેણુઈય સુત્ત : ટિપણે
૧૮૯
તે ક્રિયા માનવામાં પણ સંભવી શકે છે પણ તેને કેમ મેળવવી સિદ્ધ કરવી એ બાબત વિશેષ જણાવેલું નથી. ગરમ પ્રદેશનો માનવ ઠંડા પ્રદેશમાં જાય ત્યારે તે પિતાના શરીર ઉપર ગરમ કપડાં પહેરે છે, ઓઢે છે, તેમ દેવસૃષ્ટિમાં રહેનારા લેકે જ્યારે માનવસૃષ્ટિમાં આવે છે ત્યારે તેમને પિતાનાં શરીરની રચના બદલવી પડતી હશે એમ આગમવચન ઉપરથી લાગે છે. આ વિશે વિશેષ તક જઈ શકતા નથી, તેમજ તેમ કરવાના અર્થાત્ શરીર પરિવર્તનના કારણ સંબંધે પણ કશું કહી શકાતું નથી. તે દેવોએ સંવર્તક વાયુની
૭૨ મૂળમાં આ સ્થળે વાળીઝૂડીને સાફ કરવા બાબત નીચેનું ઉદાહરણ મૂકેલું છે.
જેમ એક કોઈ ઝાડુવાળા છોકરે હોય–તે જુવાન બળવાન નિગી સ્થિર બાંધાનો સાફસૂફની કળામાં સિદ્ધહસ્ત લાંબા અને સીધા હાથવાળો હોય, કૂદવું ટપી જવું વગેરે ક્રિયામાં કુશળ હોય, અને વળી મેધાવી દક્ષ તથા વાગ્મી હોય, એ તે છેકરે પોતાના હાથમાં એક મોટી દંડસંપુછની, શલાકાહસ્તકા કે વેણુલાકામયી અર્થાત એક મોટી સાવરણી લઈ કઈ રાજાના આંગણાને કે અંતઃપુરને ધીરે ધીરે સાફ કરે વા દેવળને સભાને પરબને આરામને કે ઉદ્યાનને વાળવા મંડે તેમ એ અભિયોગિક દેવોએ તે સંવર્તક વાયુદ્વારા એ ભૂમિભાગને વાળી બૂડીને સાફ કર્યો. (મોટા દાંડાવાળી સાવરણું તે દંડસંપુચ્છની. જેના હાથામાં સળીઓ જડેલી છે તે શલાકાહસ્તકા અને વાંસડાની સળીઓથી બનેલી સાવરણી તે વેણુશલાકામયી – આ બધાં જુદી જુદી સાવરણીનાં નામો છે ). સ્વચ્છ કર્યું
૭૩ ૩૨ મી કંડિકા જુઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org