________________
૧૮૮
શ્રી રાયપાસેણઈય સુત્ત ઃ ટિપ્પણ
લાકડાની પેઠે હાલ્યા ચાલ્યા વિના બેસી જ રહે છે એમ નથી, તેઓ તો ત્યાં જાવઆવ પણ કરે છે, એટલે રસ્તામાં આવતાં સજીવ પુષ્પ કચરાવાનાં અને દુઃખી થવાનાં તેનું શું? આ બધી હકીકત ધ્યાનમાં લઈ પ્રવચનસારોદ્ધારના ટીકાકાર એક તદ્દન વિલક્ષણ જવાબ ઘડી કાઢે છે અને તે આ છેઃ સમવસરણભૂમિમાં વરસેલાં પુપે સજીવ હોય છે, એ વાત ખરી કિંતુ પરમકારુણિક તીર્થકર ભગવાનનો એ પ્રભાવ છે કે જેને લીધે તે પુખે કચરાતાં છતાં ય લેશ માત્ર ત્રાસ અનુભવતા નથી, ઉલટું જાણે તે પુષ્પ અમૃતરસથી સિંચાતાં હોય એ આનંદ અનુભવે છે. અંતમાં ટીકાકાર કહે છે કે અમારે આ ઉત્તર બધાય ગીતાર્થ પુરૂષોને સંમત છે.” આ વિશે અનુવાદકનો વિશેષ કહેવાને અધિકાર નથી, પણ યજ્ઞમાં કામ આવતો પશુ યજ્ઞમંત્રના પ્રભાવને લીધે લેશ પણ દુઃખી થતું નથી, એવી વૈદિક પરંપરાની દલીલ અહીં યાદ આવે છે. બધા સંપ્રદામાં આવી આવી અમર્યાદ અભુત કલ્પનાઓથી ભક્તિમાર્ગ કેટલે બધે વિકૃત થયે છે એ કોની જાણમાં નથી ? વૈકિય સમુદ્દઘાત
૭૧ આ ક્રિયાનું વાસ્તવિક સ્વરૂપ સમજાતું નથી. જૈન સૂત્રોમાં આ વિશે માહિતી તે ઘણી મળે છે પણ આ ક્રિયા અનુભવ બહારની થઈ જવાથી એ માહિતી શબ્દસ્પર્શ ઉપરાંત બીજું કશું બતાવી શકતી નથી. ગીઓ પોતાનાં શરીરમાં ધારે એ ફેરફાર કરી શકે છે એમ સંભળાય છે, તેમ દેવે પણ તેમને જ્યાં જ્યાં જવું હોય તે તે સ્થાનને ચોગ્ય પોતાનાં શરીર બનાવવામાં આ ક્રિયાનો ઉપયોગ કરે છે એમ આગમવચન કહે છે. પાતંજલ યોગશાસ્ત્ર પ્રસિદ્ધ “નિર્માણકા’ની ક્રિયા જેવી આ સમુહુઘાતની ક્રિયા લાગે છે અને તે એક પ્રકારની શક્તિરૂપ છે. આગમ તો કહે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org