________________
શ્રી રાયપાસેણઈય સુત્ત ઃ ટિપ્પણ
૧૮૭
ધરાવતે સૂર્યાભ વિબુધ પોતાના આભિયોગિકેને એવી ભલામણ કરે છે કે તમે ભગવાનને તમારાં નામ ગોત્ર કહી સંભળાવે, તો તે વંદનવિધિને એક તત્કાલિન પ્રકાર હશે. પુછપ
૭૦ ભકતોનું અતિશય ભક્તિથી આવેગવાળું હદય એકવાર તો કંઈ કંઈ કલ્પનાઓ કરી બેસે છે અને પછી સ્વસ્થ થતાં તે કરેલી કલ્પનાઓમાં પોતાની જ બુદ્ધિ જ્યારે વિસંવાદ ઊભો કરે છે ત્યારે તેનું નિરાકરણ કરવા વળી બીજી કેવી વિચિત્ર કલ્પનાઓ કરવી પડે છે, તેનો આ એક સારરૂપ નમૂને નીચે પ્રવચનસારોદ્ધાર પૃ. ૧૦૭ માંથી અહીં ઊતારેલો છેઃ
ભગવાનની સમવસરણભૂમિમાં દેવ પુષ્પોની વૃષ્ટિ કરે છે એ તો ખરું, પણ ત્યારે એ પુષ્પવાળી ભૂમિમાં જીવદયાપ્રધાન જીવન ગાળનારા સાધુઓ બેસે શી રીતે ? પુષ્પ ઉપર સાધુઓ બેસે તો તે બિચારાં મૂગાં પુષ્પો કચરાય-દુઃખ પામે અને કોઈ પણ પ્રાણીને દુઃખ ન દેવાના વ્રતવાળા સાધુઓ એ ગરીબ પુષ્પોને દૂભવે ખરા? આના જવાબમાં કેટલાક કહે છે કે સમવસરણભૂમિમાં વરસેલાં પુષ્પ સજીવ જ હોય છે એમ નથી, નિર્જીવ પણ હોય છે એટલે તેમના ઉપર બેસવાથી તેમને દુઃખ થવાનો સંભવ નથી. કેટલાકોએ આપેલો આ ઉત્તર ખરે છે એમ પ્રવચનસારહારના ટીકાકાર નથી માનતા. તેઓ તે કહે છે કે ત્યાં વરસેલાં બધાંય પુખે નિર્જીવ નથી હોતાં, સજીવ પણ હોય છે, ત્યારે હવે ત્યાં સાધુઓને બેસવાનું કેમ થાય ? આ માટે વળી કઈ બીજા બીજ જવાબ શોધી કાઢે છે કે જ્યાં જ્યાં સાધુઓ બેસવાના હોય છે ત્યાં સજીવ પુપની વૃષ્ટિ નથી થતી પણ નિર્જીવની થાય છે. પ્રસ્તુત ટીકાકારની નજરમાં તેમને આ ઉત્તર પણ બરાબર નથી. ટીકાકાર કહે છે કે સમવસરણભૂમિમાં બેસવા આવતા સાધુઓ કાંઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org