________________
=
=
શ્રી રાયપાસેણુઈય સુત્ત ઃ ટિપણે
देवागम-नभोयानचामरादिविभूतयः ।
मायाविष्वपि दृश्यन्ते नातस्त्वमसि नो महान् । અર્થાત-ઈદ્રજાળ કરી બતાવનારા, પિતાની પાસે દેવો આવે છે એવું બતાવી શકે છે અને ચામર વગેરેને અદ્ધર રાખી બતાવે છે. હે ભગવદ્ ! અમારે મન તું, તારી પાસે દેવો આવે છે તેથી મેટ નથી પણ તારું વીતરાગપણું જ તારી મહત્તાનું ખરું કારણ છે એમ હું માનું છું. વચનના પાંત્રીસ ગુણ
૫૪ “સત્યવચનના પાંત્રીશ અતિશયો જણાવેલા છે ” એમ સમવાયાંગસૂત્રમાં મૂળમાં લખેલું છે. એ માટે મૂળમાં “ઉતીર્ણ સરચારૂસા પાત્તા” એવું વચન છે પણ એ પાંત્રીશ અતિશય
ક્યા કયા છે ? એ બાબત મૂળમાં કશુંય જણાવેલું નથી. મૂળના એ વચનની ટીકા કરતાં આચાર્ય શ્રી અભયદેવ જણાવે છે કે“સત્યવચનના આ અતિશયે આગમમાં દીઠામાં આવ્યા નથી પણ ગ્રંથાંતરમાં નોંધેલા છે.” [ “સત્યવાતિરીયા ગામે ન દઈઃ
તે તુ પ્રથાસરા માવિતાઃ ” સમવાયાંગ ટીકા પૃ. ૬ ૩ ]ટીકાકારના આ ઉલ્લેખ ઉપરથી ‘આ અતિશય આગમિક છે કે નહિ?” એ પ્રશ્ન જરૂર ઉઠી શકે છે. એના સમાધાનનું આ સ્થાન નથી પણ એ વસ્તુ વિચારણુય તો ખરી જ. ટીકાકારે એ પાંત્રીશ અતિશય આ પ્રમાણે બતાવેલા છેઃ ૧ સંસ્કારિતા, ૨ ઉદાત્તતા, ૩ ઉપચારપતતા, ૪ ગાંભીર્ય, પ પડદો પડવો, ૬ સરળતા, ૭ સંગીતયુતતા, ૮ મહાર્થતા, ૯ પૂર્વાપર અવિરેધ, ૧૦ શિષ્ટતા, ૧૧ અસંદિગ્ધતા, ૧૨ અખંડનીયતા, ૧૩ હદયંગમતા, ૧૪ દેશ અને કાળનું અનુસરણ, ૧૫ તરવાનુરૂપતા, ૧૬ અતિવિસ્તાર અને અસંબદ્ધ અધિકાર રહિતતા, ૧૭ પદોની પરસ્પર સાપેક્ષતા, ૧૮ અભિજાતતા, ૧૯ અતિસ્નિગ્ધ મધુરતા, ૨૦ પરમમનો અપ્રકાશ, ૨૧ અર્થ અને ધર્મ સાથે સંબંધ, ૨૨ ઔદાર્થ, ૨૩ પરનિંદા અને સ્વપ્રશંસાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org