________________
શ્રી રાયપસેય સુત્ત : ટિપ્પણી
વૈદિક પર પરાએ અને ઐાદ્ધ પરપરાએ પણ પોતપાતાના તે તે પ્રવત કા માટે આવા આવા વા આથીય વધારે અદ્ભુતતાવાળા અતિશયે નોંધેલા છે, એ ભૂલવું ન જોઇએ.
૧૮૦
આ અતિશયાની ગણનામાં શાસ્ત્રીય એકવાક્યતા જણાતી નથી, તેથી પ્રવચનસારાહારમાં અને અભિધાનચિંતામણિમાં વળી આ અતિશયે વધઘટ કરીને બીજી રીતે બતાવેલા છે. તેમાં જે ભેદ છે તે આ પ્રમાણે છેઃ યેાજનપ્રમાણ ભૂભાગમાં ત્રણ જગતને જનસમુદાય માઇ શકે. ભગવાન એકમુખી છતાં ચતુર્મુ`ખ બ્રહ્મા જેવા ભાસે. મણિકંચનમય નવ કમળાની રચના થાય. શુભ શકુન થાય. વૃક્ષ પ્રણામ કરે અને દુંદુભીએ વાગે ( પ્રવચનસા૦ ). ભગવાનની આજુબાજુ ચારે પ્રકારના દેવા ક્રોડની સંખ્યામાં રહ્યા કરે. ત્રણ ગઢની રચના થાય ( અભિધાનચિંતા ). આમાંના કેટલાક અતિશયે જન્મથી હેાય છે, કેટલાક કર્મક્ષયથી ઉપજેલા હોય છે અને કેટલાક દેવાએ બનાવેલા હોય છે, એવા વિભાગ ટીકાકારાએ ખતાવેલા છે. ભગવાન અને ગોશાલકને પ્રસંગ, ભગવાન અને જમાલિના પ્રસંગ, ભગવાન અને ગાંગેયને પ્રસંગ, ભગવાન અને સામિલને પ્રસંગ, ભગવાનના સમસમયી અને પાર્શ્વવતી કાણિક તથા હલ્લવિહલ વચ્ચે યુદ્ધના પ્રસંગ, ભગવાનના શરીરમાં રાગનું થવું વગેરે વગેરે, ભગવાનના જીવનપ્રસ ંગે જોતાં આ બધું ભક્તજનાનુ ભક્તિપ્રદર્શન ભાસે છે. ભગવાનના પુણ્યપ્રક` અપરિમિત હતો એ ખરૂં, પણ તેનું આ રીતે માપ કેમ નીકળી શકે? ખરું કહીએ તે એમના પુણ્યપ્રકર્ષનું માપ કાઢવાની ભાષા જ આપણી પાસે નથી. ઉપર જે માપ કાઢી બતાવ્યું છે તે તે કવિની ભાષા છે. ભલે કદાચ એવી ભાષાથી ભક્તોની ભક્તિ વધે અને ભગવાનના ગુણાનુરાગ તરફ ઢળે, પણ એવી ભાષાથી કોઈ વિવેકી જન ભગવાનના સ્વરૂપ સબંધી ભુલાવામાં ન પડે, માટે જ આચાર્ય સમતભદ્ર જણાવે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org