________________
-
-
શ્રી રાયપસણુઇય સુત્ત ઃ ટિપણે
૧૭૯
ન જોઈ શકે તે રીતે આહાર અને નિહાર પ્રચ્છન્ન રહે. ૬ પ્રકાશવાળું ચક્ર. ૭ પ્રકાશવાળું છત્ર. ૮ પ્રકાશવાળાં ધોળાં ચામરે. ૯ આકાશ જેવું સ્વચ્છ સ્ફટિકમય અને પાદપીઠ સહિત સિંહાસન. ૧૦ ઘણે ઉંચા ઇંદ્રવજ (આ ચક્ર વગેરે બધું ભગવાનની આગળ આગળ ચાલે). ૧૧ જ્યાં જ્યાં અરિહંત ભગવંતે ઊભા રહે કે બેસે ત્યાં યક્ષદેવો અશોકવૃક્ષને તકાળ નીપજાવે. ૧૨ મસ્તકના પાછળના ભાગમાં તેજોમંડળ-ભામંડળ. ૧૩ ભગવાન જ્યાં ચાલે તે ભૂભાગ સરખે સપાટ બની જાય. ૧૪ રસ્તામાં આવતા કાંટા ઊંધા વળી જાય. ૧૫ ઋતુઓ બધી નિયમિત અવિપરીત-રહે. ૧૬ સુગંધી શીતળ અને ઠંડા વાયુ વડે જનપરિમિત ભૂભાગ સાફ થઈ જાય. ૧૭ તે ભૂભાગની ધૂળ બેસી જાય તે પ્રકારે તેના ઉપર મેઘને. છંટકાવ થાય. ૧૮ પાંચે રંગનાં સુગંધી ફૂલોની ઢીંચણ ઢીંચણ જેટલી ભરચક વૃષ્ટિ થાય, ૧૯ નહિ ગમતા શબ્દો સ્પર્શી અને રસે રૂપ અને ગંધ દૂર થઈ જાય. ૨૦ મનગમતા શબ્દો સ્પર્શે રસે રૂપિ અને ગંધને પ્રાદુર્ભાવ થાય. ૨૧ જન સુધી સંભળાય તે રીતે ભગવાનને સ્વર નીકળે. ૨૨ ભગવાનની દેશના અર્ધમાગધી ભાષામાં થાય. ૨૩ ભગવાન દેશના તો અર્ધમાગધી ભાષામાં કરે છતાં તેમને સાંભળવા આવેલા બધા આર્યો અનાર્યો વગેરે તેમને સમજી શકે. ૨૪ પરસ્પર વૈરવાળા દેવ અસુર રાક્ષસે વગેરે ભગવાનની પાસે ઉપશાંત થાય. ૨૫ અન્યતીર્થિકો પણ ભગવાનને નમસ્કાર કરે. ૨૬ તેઓ ભગવાનની પાસે આવતાં નિત્તર થઈ જાય. ૨૭ જે બાજુ ભગવાન વિહાર કરે તે તરફમાં આજુબાજુ પચ્ચીશ પચ્ચીશ એજન સુધી ઈતિ ન થાય. ૨૮ મરકી ન થાય. ૨૯ સ્વચક્રને ભય ન રહે. ૩૦ પરચક્રને ભય ન રહે. ૩૧ અતિવૃષ્ટિ ન થાય. ૩૨ અનાવૃષ્ટિ ન થાય. ૩૩ દુકાળ ન પડે અને ૩૪ જે રોગો ચાલતા હોય તે પણ જલદીજ શમી જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org