________________
૧૭૮
શ્રી રાયપસણુઈય સુત્ત : ટિપણે
શક્ય નથી, થઈ શકતો નથી અને હવે પછી થઈ શકશે કે કેમ એ પ્રશ્ન છે. આમ છતાંય જે મહાન આત્માઓનું હૃદય એ દુઃખપરંપરાને જોતાં જ કકળી ઊઠે છે, તેઓ તે દુઃખના સાધનરૂપે કદી પણ બનતા નથી અને એવા સાધનભૂત ન થવા માટે જ તેઓ ઐચ્છિક ગરીબીને સ્વીકારે છે. એચ્છિક ગરીબીને વરેલાજ મહાનુભાવો ખરા અકિંચન છે. શ્રમણવૃદમાં પરિવર્તન કરનાર પર આ અર્થ માટે મૂળ સૂત્રમાં “
સર્વિરદા' શબ્દ આવે છે. ટીકાકાર “પરિઅટ્ટએ'નું સંસ્કૃત રૂપાંતર “પરિવર્તક' આપે છે. શ્રમણ સંસ્કૃતિમાં ભગવાને જે ક્રાંતિ કરેલી છે તેને આ વિશેષણ બરાબર બંધબેસતું છે. પાર્શ્વનાથ ભગવાનની પરંપરામાં જે શથિલ્ય પેઠેલું, તેને દૂર કરવા અને શ્રમણ સંસ્કૃતિનું તેજ વધારવા ભગવતે ચાર યમના પાંચ યમ કરેલા, પોતાની જીવનચર્યામાં અચેલકત્વ ઉપર વધારે ભાર મૂકેલો અને કેટલીક સામાજિક હિંસાએને દૂર કરવા તેમણે જાતિવાદને દૂર કરી ગુણવાદને અગ્રસ્થાને સ્થાપેલો, તેમજ સ્ત્રીઓ અને પછાત ગણાતા લોકોને ઊંચે ચડાવવા તેમને પિતાના તીર્થમાં સારું સ્થાન આપેલું. ભગવંતનું આ “પરિવર્તક વિશેષણ આ બધા ભાવને બરાબર સૂચિત કરે છે. ટીકાકાર તો પરિવર્તકને અર્થ “વૃદ્ધિકારી' બતાવે છે પણ એ અર્થ વ્યુત્પત્તિની દૃષ્ટિએ સંગત છે કે કેમ એ વિચારવા જેવું છે. ચેત્રીશ અતિશય
૫૩ સમવાયાંગ સૂત્રમાં ત્રીશ બુદ્ધાતિશેષે આ પ્રમાણે જણાવેલા છેઃ ૧ કેશ દાઢીમૂછ સંવાડાં અને નખ એ બધાં ન વધે. ૨ કાયા નિરોગી અને પવિત્ર રહે. ૩ માંસ અને લેહી ગોક્ષીર જેવું ઘેલું હોય. ૪ શ્વાસોચ્છવાસ પદ્મગંધી. ૫ ફક્ત ચર્મચક્ષવાળા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org