________________
૧૭૬
શ્રી રાયપણુઈય સુત્ત ઃ ટિપણે
શ્લોક ૧૩૬, અભિધાનચિંતામણિ. સંવાટાનો એક ખાસ પ્રકારનો વળાકે તે શ્રીવત્સ. જેની છાતીમાં એ વિશિષ્ટ પ્રકારને રુંવાટાનો વળાકે હેય તે સુલક્ષણો કહેવાય એ લોકવાદ છે. શ્રીવન્સવાળી છાતી હોવાને લીધે કૃષ્ણનું એક નામ શ્રીવત્સ પણ છે. “વત્સને અર્થ “વક્ષ-છાતી થાય છે. જેને લીધે છાતી શોભાવાળી થાય તે શ્રીવત્સ. જે જે જિનબિંબો વર્તમાનમાં દેખાય છે તે બધાની છાતીના બરાબર મધ્ય ભાગમાં લંબચોરસ જેવું એક ઉપસેલું નિશાન દેખાય છે અને એને “શ્રીવત્સ” કહેવામાં આવે છે. એ નિશાન કોઈ ઉપસેલા હાડકાની સ્મૃતિ કરાવે છે, ત્યારે “શ્રીવત્સ તે સંવાટાને ખાસ પ્રકારનો વળાકો છે એ ધ્યાન દેવા જેવી વાત છે. મધ્ય ભાગ
૪૮ ભગવાનના શરીરના મધ્ય ભાગને મુસલ જેવો વર્ણવેલે છે. મુસલ-સાંબેલું–નો મધ્ય ભાગ–જેને પકડીને ખંડાય છે તે ભાગ પાતળા હોય છે. આમાં ભગવાનના શરીરને મધ્ય ભાગ તેવો પાતળા કહેવાનો આશય જણાય છે. મધ્ય ભાગ પછી તરતજ કટીભાગનું વર્ણન છે, તેથી મધ્ય ભાગ અને કટી બન્ને જુદાં છે એ ન વિસરાય. એક હજાર આઠ સુલક્ષણે
૪૯ ઉત્તમ પુરુષના શરીરમાં એક હજાર ને આઠ શુભતમ લક્ષણો હોય છે એ હકીકત જૈન ગ્રંથમાં વારંવાર આવે છે. પણ તે લક્ષણો કયાં ક્યાં છે એ સંબંધી વિગતવાર હકીકત ક્યાંય નજરે ચડતી નથી. હાથમાં ચંદ્ર, સૂર્ય, શંખ, ચક્ર, સ્વસ્તિક વગેરેની જેવી રેખાઓ હોય અને પગમાં પર્વત નગર મગર સાગર ચક્ર વગેરેની જેવી રેખાઓ હોય-એ બધાં શારીરિક સુલક્ષણ છે. ૧૦૦૮ અને ૧૦૮ ની સંખ્યા ઘણ સંપ્રદાયવાળાને તેમ જ લોકોને વિશેષ પ્રિય છે એનું કારણ શોધવા જેવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org