________________
શ્રી રાયપણઈય સુત્ત = ટિપ્પણો ૧૭૫ નિયમ વીસરી જતા લાગે છે. આ સૂત્રની દાઢીમૂછની વર્ણન નામાં પણ કાંઈ આ ભાસ જણાય છે. વાળને વારંવાર લોચ થયા પછી તેમની ઊગણી વ્યવસ્થિત રહે એ બનવા જેવું ખરું ? દીક્ષા લીધા પછી બાર વર્ષ સુધી તે ભગવાને તપ જ કર્યા કર્યું છે, તે દરમિયાન તેમણે પોતાના વાળનો લેચ તે કર્યો જ હશેને ? બાર બાર કે કદાચ તેથીય વધારે લેચ થયા પછી વાળાની શોભા ટકી શકે ખરી? એ જ પ્રમાણે તેમના નખ પણ વધી જતા હોઈ શોભાહીન થઈ જતા હશે. વાળો તે લુંચીને ઉખાડી શકાય પણ નખોનું શું થાય ? ભગવાનને મન કે કોઈ પણ આત્મલક્ષીને મન વાળ કે નખની શોભા લેશ પણ મહત્ત્વની નથી પણ ભક્તજનોને તેમના અવ્યવસ્થિત વાળ કે વધી ગયેલા નખ જેવા ગમતા નથી. વ્યવસ્થિત વાળ કે નખની શેભાને શોભા માનનારા અને તે જ રીતે ટેવાએલી ધૂલ દષ્ટિવાળા ભક્તજને હવે કરે શું ? શરીરને સ્વભાવ તો તેઓ બદલી શકતા નથી. શરીરના નિયમ પ્રમાણે નખો તે વધ્યાજ કરવાના અને વાળ પણ વય પ્રમાણે શોભાહીન થવાના. પરંતુ ભક્તની ભક્તિભીની આંખ આ બધું સાંખી શકે ખરી ? નહિ. તેથી જ તેણે કહી દીધું કે ભગવાનના વાળ અને નખની શેભા દેવાધીન છે અર્થાત ભગવાનના વાળ અને નખની કાયમી શેભા દેવ ટકાવી રાખે છે–વાળે કે નખ અવ્યવસ્થિત ન થાય તે માટે દેવ બરાબર ધ્યાન રાખે છે. શરીર તો ભગવાનનું માનવી છે અને તેનો સ્વભાવ પણ માનવી છે; આ બધું હોવા છતાં ભક્તદૃષ્ટિ તેમાં વચ્ચે દેવોને લાવી ભગવાનની ભક્તિ માટે ઊજમાળ થતી હોય તે ભલે થાય. શ્રીવસ
૪૭ શ્રીવત્સનો અર્થ આપતાં આચાર્ય હેમચંદ્ર કહે છે કે “પ્રિયા સુરો રો રક્ષોને શ્રીવત્સ: જેમ વર્તવિરોષઃ” કાંડ ૨,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org