________________
૧૭૪
શ્રી રાયપાસેણઈય સુત્ત : ટિપ્પણ
ખરા યોગીને સુલભ હોય છે. ભગવાન મહાવીરના શરીરનું વર્ણન તેમની ગલબ્ધિને અનુરૂપ છે. છતાં ભક્તિમંત પ્રશંસકે તે તે વર્ણનમાં ભક્તિને ભેળવ્યા વિના રહી શકે નહિ. ધોળા વાળવાળી
૪૪ પાંપણમાં એકાદ ધોળે વાળ વર્ણવવાનું કારણ સમજાતું નથી. કદાચ એ વિશેષ ગાંભીર્ય, સ્થિરતા અને વૃદ્ધત્વસૂચક હોય. નિર્મળ દાંત
૪પ ભગવાનના દાંતનું વર્ણન વાંચતાં આપણે તેમના દાંતોની શુદ્ધિનો ખ્યાલ મેળવી શકીએ છીએ. કેવળી થયા પછી ભગવાન નિયત આહારી રહ્યા છે. આહારને જે નિયત લેતે હોય તેના દાંતે આવા શુદ્ધ અને નિર્મળ ત્યારે જ રહી શકે જ્યારે તે દાંતો તરફ બેદરકાર ન રહે. કોઈ છૂમંતર કે અતિશય માત્ર કહેવાથી દાંતની શુદ્ધિ થઈ જતી નથી. એ તો, સંયમસાધન, શરીરની વિશેષસંયમપૂર્વક કાળજી, આહારનું પ્રમાણ, સ્વાદેદ્રિયને જય, અજીણને અભાવ અને શરીરગત રક્તકણોની વિટ્ટુક્તિ ઉપર નિર્ભર છે.
ભગવાનના અનુયાયી આપણે, વધારે તો નહિ પણ તેમની દંતશુદ્ધિ જેટલુંય તેમનું અનુકરણ કરીએ તોય બસ છે. દાઢી મૂંછ
૪૬ ગૃહસ્થાશ્રમમાં તે ભગવાન ક્ષૌર કરાવતા જ હશે, એથી તે સ્થિતિમાં તેમની દાઢીમૂછ બરાબર વ્યવસ્થિત અને સુવિભક્ત રહે તે સ્વાભાવિક છે, પણ પછી ભગવાન સંયમી થઈ કુંચિત કેશ થયા ત્યારથી તેમની દાઢીમૂછ બરાબર વ્યવસ્થિત રહી હશે કે કેમ એ એક પ્રશ્ન છે. ભક્તિમંત કે એમની ટેવ પ્રમાણે પોતાના ભજનીયનું સર્વ કાંઈ સર્વ રીતે અને સર્વ કાળે સારું જ જોવા ઇચ્છે છે, એ ઇચ્છાને વશ થઈ તેઓ શરીરપ્રકૃતિને અચળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org